________________ ( 7 ) પ જાણે, ન આદરે, ન પાળે. તે શ્રેણિક કૃષ્ણાદિ ધર્મના સમ્યમ્ સ્વરૂપને જાણતાં છતાં અવિરતિના તીવ્ર ઉદયથી આદરી શકતા નથી અને પાળતા પણ નથી. 6 જાણે, આદરે નહીં, પણ પાળે તે અનુત્તર વિમાનના દે સમજવા. તેઓ ધર્મના સમ્યગ્ર સ્વરૂપને જાણે, પણ અવિરતિના ઉદયથી આદરે નહીં પરંતુ પાળે ખરા. 7 જાણે, આદરે, પણ પાળે નહીં તે ધર્મના સમ્યમ્ સ્વરૂપને જાણે, આદરે અને પાળી શકે નહીં. તેઓ પશ્ચાત્તાપ કર્યા કરે અને વેશ છોડીને સંવિજ્ઞપક્ષીપણે વર્તે, 8 જાણે, આદર અને પાળે તે સર્વ પ્રકારના મુનિઓ જાણવા. તેઓ ધર્મના સગ્ય સ્વરૂપને જાણે છે, અંગીકાર કરે છે અને સમ્યગ પ્રકારે પાળે પણ છે. આ ચારે પ્રકાર સમકિત દષ્ટિના જાણવા–એ ચારે ભંગ ગ્રાહ્ય છે. એનું વિશેષ સ્વરૂપ શ્રી જ્ઞાનવિમળસૂરિકૃત અષ્ટભંગીની સઝાયમાં બતાવેલું છે. 113 મિથ્યાત્વનું મહા માઠું ફળ. विस वेसानर विस हर-हरि करि अरिणो हणंति भवमेगं। मिच्छत्तं सत्ताए, हणइ अणंताउ भवकोडि // 172 // વિષ, વૈશ્વાનર (અગ્નિ), વિષધર (સર્પ), હરિ (સિંહ), કરિ (હાથી) અને અરિ (શત્રુ –એ સર્વે પ્રાણીના એકજ ભવને હણી શકે છે; (પ્રાણથી જીવને વિખુટો પાડે છે) પરંતુ મિથ્યાત્વ તે સત્તામાં હોવાથી પ્રાણીને અનંતકેટિભામાં હણે છે, અર્થાત અનંતા ભવ કરાવે છે. 172 दसणभट्ठो भट्ठो, दसणभहस्स नत्थि निव्वाणं / सिझंति चरणरहिया, दंसणरहिया न सिझंति // 173 //