________________ (74) 112 સમ્યગદષ્ટિ ને મિથ્યાદષ્ટિની વહેંચણ. सामनजण तव लिंग-धारिणो अगीयस्थ सेणियाईया। पंचुत्तरसुर संवेग-पक्खिणो अट्टमा य जई // 170 // पढमा मिच्छादिट्टी, चउरो संसारभमणहेउ ति / इयरा सम्मदिट्ठी, अरहा निव्वाणमग्गस्स // 171 // સામાન્ય માણસ 1, અજ્ઞાન તપસ્વી 2, લિંગધારી 3, અને ગીતાર્થ 4, શ્રેણિકાદિક સમકિતી જેવો પ, પાંચ અનુત્તરવાસી દેવ 6, સંવેગ-પાક્ષિક 7, અને આઠમા યતિ ૮-તેમાંથી પહેલા ચાર મિથ્યાષ્ટિ છે અને તેઓ સંસારમાં પરિભ્રમણ કરનારા છે. બીજા ચાર સમકિતદષ્ટિ છે, તેઓ મેક્ષમાર્ગને વેગ્ય છે–મોક્ષે જનાર છે. 17-171. વિરતિના સ્વરૂપને જાણે, વિરતિ અંગીકાર કરે ને વિરતિ પાળે; તેમજ ન જાણે ન આદરે ને ન પાળે-એ છ પ્રકારના ત્રિકસંયોગી આઠ ભાંગા થાય છે તે નીચે પ્રમાણે - 1 ન જાણે ન આદરે, ન પાળે તે સામાન્ય મિથ્યાષ્ટિ જાણવા 2 ન જાણે, ન આદરે, પણ પાળે તે અજ્ઞાન તપસ્વી જાણવા તેઓ સમ્યગ્ર જ્ઞાન રહિત હોવાથી જાણું કે આદરી શકતા નથી, 3 ન જાણે, આદરે, ન પાળે તે પાર્થસ્થાદિ વ્યલિંગી જાણવા તેઓ વ્રત ગ્રહણ કરે છે પણ પાળતા નથી.” 4 ન જાણે, આદરે ને પાળે તે સમ્યમ્ જ્ઞાન વિનાના મિથ્યાવી, અભવી તેમજ અગીતાર્થ જાણવા આ ચારે ભગવાળા સમ્યગ જ્ઞાન વિનાના હોવાથી મિથ્યાદૃષ્ટિ છે.