SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ( 37 ) તેઓ જે દુષ્ટ શિષ્યને શિખામણ આપતાં કદાચ ક્રોધ ન કરે, તોપણ તે શિષ્ય તે ભગવાનની આજ્ઞાને લેપ કરવાથી અને ગુરૂની આશાતને કરવાથી અશુભ કર્મનું ઉપાર્જન કરી અવશ્ય દીર્ઘ સંસારી થાય છે. આવા શિષ્ય બુદ્ધિમાન હોય તોપણ તે મૃતબાહ્ય થાય છે અને અન્ય જન્મમાં પણ તેને શ્રુતજ્ઞાન પ્રાપ્ત થતું નથી. આ શિષ્ય એકાંતપણે અગ્ય છે. આ દૃષ્ટાંતનું પ્રતિપક્ષ દૃષ્ટાંત પણ એ જ પ્રમાણે જાણવું. તેમાં તફાવત આ પ્રમાણે છે. જ્યારે તે આભીર કે આભીરીના ઉપગને અભાવે ઘીનો ઘડો પૃથ્વી પર પડીને ફરી ગયે, ત્યારે તે બન્નેએ શીધ્ર શીધ્ર હેળાયેલું ઘી એક નાના હીબકામાં લેવાય તેટલું લઇ લીધું, તેથી થોડુંજ ઘી વિનાશ પામ્યું. પછી આભીરે પોતાના આત્માની જ નિંદા કરી કે-“હે પ્રિયા ! મેં તને બરાબર ઉપગ પૂર્વક ઘીને ઘડો આપે નહીં, તેથી તે પડી ગયો.” તે સાંભળી આભીરી પણ બોલી કે-“હે નાથ ! તમે તો બરાબર આ હતું, પણ મેં જ બરાબર ગ્રહણ ન કર્યો. આ પ્રમાણે થવાથી તેમને કેપના આવેશથી થયેલા યુદ્ધનું દુ:ખ થયું નહીં. ઘીની હાનિ પણ થઈ નહીં અને બીજા આભીરની સાથે વહેલા ઘેર જવાથી માર્ગમાં લુંટાવાનું દુ:ખ પણ થયું નહીં. તેથી તેઓ સુખી થયા. આ દૃષ્ટાંત પ્રમાણે જ કેઈ આચાર્ય ઉપયોગને અભાવે કાંઈક અન્યથા વ્યાખ્યાન કર્યું હોય અને પછીથી શિષ્ય પણ તે જ પ્રમાણે તેનું ચિંતવન કરતો હોય, તો તેને આચાર્ય આ પ્રમાણે કહે કે-“હે વત્સ! તું આવે અર્થ ન કર. મેં તે વખતે ઉપયોગને અભાવે એ પ્રમાણે કહ્યું હશે. પણ હવે આવો અર્થ કર.” તે સાંભળી શિષ્ય બોલે કે-“હે પૂજ્ય ! શું આપ અન્યથા પ્રરૂપણ કરે ખરા? મેં જ અલ્પ મતિને લીધે બરાબર અર્થ ધાર્યો નહીં હોય. આ શિષ્ય એકાંતપણે યંગ્ય છે. ઇતિ શિષ્યની યોગ્યતા અયોગ્યતા ઉપરના ચતુર્દશ દષ્ટ તે સંપૂર્ણ
SR No.004482
Book TitleRatnasanchay Prakaranam
Original Sutra AuthorN/A
AuthorHarshnidhansuri
PublisherSheth Chaturbhuj Tejpal Hubli
Publication Year1929
Total Pages250
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy