________________ (36 ) વચ્ચેજ પૃથ્વી પર પડીને છુટી ગયો. તે વખતે કોઇ પામી આભીરે આભીરીને કહ્યું કે હે પાપણું ! અન્ય અન્ય જુવાન માણસની સામું તું જોયા કરે છે અને હું ઘીને ઘડે આપું છું તે બરાબર લેવામાં ધ્યાન રાખતી નથી ? તે સાંભળી આભીરી પણ ક્રોધથી બેલી કે-“હે ગામડીયા ! ઘીના ઘડાપર ધ્યાન રાખ્યા વિના તું રૂપાળી રૂપાળી શહેરની સ્ત્રીઓના મુખ સામું જુએ છે તેથી પાત્ર બરાબર આપતું નથી અને વળી ઉલટે મને ઠપકે (ગાળ) આપે છે? " આ પ્રમાણે તે બને પરસ્પર વધારે વધારે કઠોર વચન બોલવા લાગ્યા. અનુક્રમે તે બન્નેનું કેશાકેશી યુદ્ધ થયું. તેમાં તે બન્નેના આઘા પાછા પડતા પગના પ્રહારથી પ્રાયે ગાડામાંનું સર્વ ઘી ઢોળાઈને પૃથ્વી પર પડ્યું. તે કેટલુંક પૃથ્વીમાં ચુસાઈ ગયું, કેટલુંક કુતરા ચાટી ગયા અને કાંક બાકી રહ્યું તે ચાર લેકે હરી ગયા. તેની સાથે આવેલા બીજા આભીરે પોતપોતાનું ઘી અન્ય વેપારીને વેચાતું આપી તેના પૈસા વિગેરે લઈ પોતાના ગામમાં પાછા ગયા. ત્યારપછી સાંજનો વખત થવા આવ્યો ત્યારે તે બન્ને થાકીને યુદ્ધથી નિવૃત્ત થયા, અને રવસ્થપણાને પામ્યા પછી પ્રથમ જે કાંઈ ઘી વેપારીને આપ્યું હતું (વેચાયું હતું), તેના પૈસા લઈ તે બને પોતાના ગામ તરફ ગાડામાં બેસીને પાછા વળ્યા માર્ગમાં જતાં જ સૂર્ય અસ્ત થયે, અંધારૂ તરફ વ્યાપી ગયું. તેવામાં ચાર કેએ આવી તેમનું ધન, વસ્ત્ર અને ગાડાના બળદ પણ હરી લીધા, આ રીતે તેઓ અત્યંત દુ:ખી થયા. આ દષ્ટાંતને ઉપનય આ પ્રમાણે કર-જે કેઈશિષ્ય અન્યથા પ્રકારે પ્રરૂપણ કરે કે અભ્યાસ કરે તેને જ્યારે આચાર્ય મહારાજ કઠેર વાક્ય વડે શિખામણ આપે ત્યારે તે શિષ્ય સામું બોલે કે“ તમે જ મને પ્રથમ આવી રીતે શીખવ્યું હતું અને અત્યારે કેમ તે ગેપ છો? " આવાં વચન બેલનાર તે શિષ્ય કેવળ પોતાના આત્માને જ સંસારમાં નાંખે છે એટલું જ નહીં, પરંતુ આચાર્યના કેધન પણ પોતે જ કારણરૂપ થઈ આચાર્યને પણ સંસારમાં પાડે છે. કેમકે કુશિષ્યો સૈમ્ય ગુરૂને પણ કેધી બનાવવામાં કારણ થાય છે. એ વાત પ્રસિદ્ધ છે. તથા વળી ગુરૂ તો ગુણી જ હોય છે તેથી