________________ () કર સમકિતના સડસઠ બેલ. चउ सद्दहण तिलिंगं, दस विणय तिसुद्धि पंचगयदोस। अट्ठ प्पभावण भूसण, लक्खण पंचविह संमत्तं // 74 // छव्विह जयणागारं, छब्भावणभावियं च छठाणं / इय सत्तसहि दंसण-भेयविसुद्धं च संमत्तं / / 75 // અર્થચાર સહણા. ત્રણ લિંગ, દશને વિનય. ત્રણ શુદ્ધિ, (ટાળવા ગ્ય) પાંચ દષ, આઠ પ્રકારની પ્રભાવના, પાંચ ભૂષણ સમક્તિના પાંચ લક્ષણ (ચિન્હ), છ પ્રકારની જયણા (યતના), છ આગાર, છ ભાવનાથી ભાવિત અને છ સ્થાન-આ પ્રમાણે દર્શનના સડસઠ ભેદવડે શુદ્ધ એવું સમકિત કહ્યું છે. 74-75. વિસ્તરાર્થ–પરમાર્થ જાણવાનો અભ્યાસ કરવો 1, પરમાર્થ જાણનારની સેવા કરવી 2. નિજુવાદિકને પરિચય ન કરે 3. કુદનીને સંગ ન કર–આ ચાર સદુહણા કહેવાય છે. સિદ્ધાંતનું શ્રવણ 1, ધર્મને વિષે તીવ્ર રાગ 2 અને દેવ ગુરૂની ભકિત (વૈયાવચ્ચે) ૩–આ ત્રણ લિંગ છે. અરિહંતની ભક્તિ 1, સિદ્ધના ગુણનું કીર્તન 2, ચૈત્યની વૈયાવચ્ચે (સારસંભાળ) 3, ધર્મ ઉપર રાગ 4, શ્રતની (જ્ઞાન ને જ્ઞાનીની) વૈયાવચ્ચ 5, સંવેગી સાધુની સેવા 6, આચાર્યની સેવા 7. ઉપાધ્યાયની સેવા 8. સર્વ સંઘની સેવા 9 અને સમક્તિવંતની સેવા ૧૦-આ દશને વિનય કરવાને હોવાથી તેના દશ ભેદ કહેવાય છે, અરિહંત વિના બીજા દેવ અને જિનશાસન વિના બીજું શાસન મનથી ન માનવું ૧,જૈન ધર્મની દૃઢતા વચનદ્વારા બતાવવી 2, અને કાયાથી ગમે તે કારણે પણ જિનેશ્વર વિના બીજા દેવને ન નમવું ૩-આ ત્રણ શુદ્ધિ છે. જિન ધર્મને વિષે શંકા કરે 1, પરમતની વાંછા કરે ૨.ધર્મના ફળને સંદેહ કરે 3, પરમતની પ્રશંસા કરે 4, તથા મિથ્યાત્વને પરિચય કરે ૫-એ પાંચ દૂષણે