________________ ( રર ) તે ત્રેસઠમાંથી વીશ પુષે નરક ગતિમાં ગયા છે (નવ વાસુદેવ, નવ પ્રતિવાસુદેવ અને બે ચક્રી કુલ 20) અને બાકીના તેંતાલીશમાંથી ત્રણ તીર્થકર ને ચકી એકજ હેવાથી ત્રણ બાદ જતાં 40 સુગતિમાં ગયા છે એટલે સ્વર્ગ કે મેક્ષે ગયા છે. 61. 34 ચક્રીના ચૌદ રત્નને ઉપજવાનાં સ્થાન વિગેરે. चउरो आउहगेहे, भंडारे तिन्नि दुन्नि वेयड्ढे / इक रायगिहम्मि य, नियनयरे चेव चत्तारि // 62 // ચાર રત્નો આયુધશાળામાં ઉત્પન્ન થાય છે, ત્રણ રત્ન ભાડાગારમાં ઉપજે છે, બે રત્ન વૈતાવ્યમાં ઉપજે છે, એક રત્ન રાજમહેલમાં ઉત્પન્ન થાય છે અને ચાર રને પોતાના નગરમાં (રાજધાનીમાં) ઉત્પન્ન થાય છે. 2. તે આ પ્રમાણે चक्कअसिच्छत्तदंडा, आउहसालाइ हुंति चत्तारि / चम्ममणिकागणिनिही, सिरिगेहे चक्किणो हुंति // 63 // सेणावई गाहावई, पुरोहिय वड्डइ य नियनयरे / थीरयणं रायकुले, वेयतटे करी तुरया // 64 // ચક્ર, ખ, છત્ર અને દંડ એ ચાર રત્નો આયુધશાળામાં ઉત્પન્ન થાય છે; ચર્મ, મણિ અને કાકણુ એ ત્રણ રત્નો ચક્રીના શ્રીગૃહમાં-ભાંડાગારમાં ઉત્પન્ન થાય છે; સેનાપતિ, ગાથાપતિ, પુરહિત અને વર્ધકી એ ચાર રને પિતાના નગરમાં (રાજધાનીમાં) ઉત્પન્ન થાય છે. સ્ત્રીરત્ન રાજકુળમાં ઉત્પન્ન થાય છે, તથા હસ્તીરત્ન અને અધરન વૈતાઢય પર્વતના તટને વિષે-સમીપે ઉત્પન્ન થાય છે. 63-64 1 આ સાત રત્ન એપ્રિય છે, બાકાને સાત પંચૅક્રિય છે. તે દરેક હજાર હજાર દેવ અધિછિત હોય છે.