________________ (2) (પરની ગાથા યાકિની મહત્તા સાધવી પાસેથી સાંભળીને હરિભદ્ર નામના વિષે તેને અર્થ ન સમજવાથી સાધ્વીજીએ તેનો અર્થ કહેતાં પ્રતિજ્ઞા પ્રમાણે જૈન ધર્મ અંગીકાર કર્યો હતો. ) 33 ત્રેસઠ શલાકાપુરૂષના મળીને કુલ જવ, કાયા પિતા અને માતાની સંખ્યા અને ગતિ. तेसहिसिलाकाणं, पदवी तिसट्टी आगमे भणिया। एगुणसही जीवा, सही पुण हुंति कायाओ॥६० // ગેસઠ શલાકા (ઉત્તમ) પુરૂષોની ત્રેસઠ પદવીઓ આગમમાં કહી છે, તે સર્વના મળીને જીવે ઓગણસાઠ છે. અને કાયાઓ સર્વ મળીને સાઠ થાય છે. કેમકે શાંતિનાથ. કુંથુનાથ અને અરનાથ એ ત્રણ જીવે તીર્થંકર પદવી અને ચકવતી પદવી એ બે એક શરીરે ભેગવવાથી શરીર 60 તથા મહાવીર સ્વામીના જીવે ત્રિપૃષ્ટ વાસુદેવની પદવી જૂદા શરીરે ભેગવેલી હેવાથી જીવ ઓગણસાઠ થાય છે. 60 तेसिं बावन्न पिया, तस्स णं हंति इगसहि जणणीओ। वीसं तु निरयगइओ, अवसेसाणं च सुगइगई // 1 // . તે ત્રેસઠ ઉત્તમ પુરૂષના કુલ પિતા બાવન થાય છે (કેમકે નવ વાસુદેવ અને નવ બળદેવના પિતા એક એકજ હેવાથી તથા શાંતિનાથ, કુંથુનાથ અને અરનાથે એ બબે પદવીવાળાના પણ એક એકજ પિતા હેવાથી બાર ઓછા થતાં એકાવન થયા, અને મહાવીરના પિતા બે (ઋષભદત્ત ને સિદ્ધાર્થ) હેવાથી એક વિધારતાં બાવન થાય છે. ) તે ત્રેસઠની માતાઓ એકસઠ થાય છે, (કેમકે શાંતિ, કુંથુ અને અરનાથની તીર્થકર ને ચકીપણાની એકજ માતા હેવાથી ત્રણ ઓછી કરતાં અને મહાવીરની માતા બે (દેવાનંદા ને ત્રિશલા) હેવાથી એક વધારતાં એકસઠ થાય છે.)