________________ 4 તિર્યગુર્જુભક દેવને રહેવાનાં સ્થાને વિગેરે. कंचणगिरिपव्वएसु, चित्तविचित्ते अ जमगसेलेसु। एएहिं ठाणेहिं, वसंति तिरिजंभगा देवा // 14 // કાંચનગિરિ પર્વત, ચિત્ર વિચિત્ર પર્વત અને જમક સમક નામના પર્વત-એ સર્વ સ્થાનને વિષે તિર્યગજભક દે વસે છે. (કંચનગિરિ દેવકુફ ઉત્તરકુરમાં સો સો હોય છે. અઢીદ્વીપમાં મળીને 1000 છે. ચિત્ર વિચિત્ર ને જમક સમક અઢીદ્વીપમાં મળીને 20 છે. તદુપરાંત 170 દીર્ઘ વૈતાઢય ઉપર પણ તેમની બે બે શ્રેણિ છે.) 14 તે દેવોના અવધિજ્ઞાનને વિષય. पुन्वभवा सो पिच्छई, एकं दो तिन्नि जाव नव य भवा / उवरिं तस्स अवस्स उ, सुहभावो जाइसरणस्स // 15 // (અવધિજ્ઞાન અલ્પ હોવાથી) પોતાના પર્વભવ એક, બે, ત્રણ યાવત નવ ભવ જુએ છે (જઈ શકે છે). તે ઉપરાંત જે વધારે જુએ તો જાતિસ્મરણનો શુભભાવ સમજો. ( શ્રી આચારાંગ સૂત્રના પહેલા શ્રુતસ્કંધના પહેલા અધ્યયનના પહેલા ઉદ્દેશામાં જાતિસ્મરણ સંખ્યાતા ભવ દેખે” એમ કહ્યું છે.) 15. 5 ઉત્તરકિય શરીરનું ઉત્કૃષ્ટ માન તથા સ્થિતિ. देव नर अहिअ लक्खं, तिरियाणं नव य जोयणसयाइं। दुगुणं तु नारयाणं, भणि वेउब्वियसरीरं // 16 // . દેવ અને મનુષ્યનું ઉત્કૃષ્ટ પૈક્રિય શરીર લાખ યોજનથી અધિક હોય છે, (તેઓ ઉત્કૃષ્ટ એટલું શરીર વિકર્વી શકે છે. ) તિર્યંચાનું ઉત્કૃષ્ટ ક્રિય શરીરે નવસો યોજનાનું હોય છે અને નારકીઓનું ઉત્કૃષ્ટ ક્રિય શરીર પોતપોતાના સ્વાભાવિક શરીરથી