________________ (202) હજાર, લાખ ને કે િવ દુઃખ ભોગવીને ખપાવે છે, પાપ, (અર્થાત પિરસીથી હજાર વર્ષ, ઉપવાસથી લાખ વર્ષ અને છતુથી કોડ વર્ષ સુધી ભેગવવા પડે તેવા અશુભ કર્મોનો ક્ષય થાય છે.) 319 સાધુને કલ્પનીય જળ. गिण्हइ जुआरजलं, अंबिलधोअणतिदंडमुक्कलयं / वन्नंतरायपत्तं, फासुअसलिलं च तदभावे // 516 // જુવારના ધાવણનું પાણી, આંબલીના ધોવણનું પાણી અને ત્રણ ઉભરાએ ઉકાળેલું પાણી સાધુને ગ્રહણ કરવા લાયક છે. તેવું જળ ન મળે તે બીજા વર્ણને પામેલું એટલે જેના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ બદલાઈ ગયા હોય એવું પ્રાસુક જળ પણ લેવું કપે છે. 516. 320 શ્રી સીમંધર સ્વામીના જન્માદિકને કાળ તથા જન્મસ્થાનपुक्खलवईयविजये, पुव्वविदेहम्मि पुंडरिगणाए। कुंथुअरहंतरम्मि अ, जाओ सीमंधरो भयवं // 517 // પૂર્વ મહાવિદેહ ક્ષેત્રને વિષે પુષ્કલાવતી નામના વિજ્યમાં - પુંડરિકિણી નામની નગરીમાં કુંથુનાથ અને અરનાથના આંતરામાં શ્રી સીમંધર નામના ભગવાન થયા છે—જગ્યા છે. 17. मुणिसुव्वयजिणनमिजिण-अंतरे रजं चइत्तु निक्खंतो। सिरिउदयदेवपेढाल-अंतरे पावई मुक्खं // 518 // | મુનિસુવ્રતસ્વામી અને નમિનાથના આંતરામાં સીમંધર સ્વામીએ રાજ્યનો ત્યાગ કરી દીક્ષા ગ્રહણ કરી છે તથા શ્રી ઉદય