________________ (182) ર૮૨ સુપાત્રદાનનું માહાભ્ય. सिरिसिजंसकुमारो, निस्सेयसमाहिओ कहं न वि होइ। फासुअदाणपहावो, पयासिओ जेण भरहम्मि // 462 // શ્રી શ્રેયાંસકુમાર નિશ્રેયસ સમાધિનો-એક્ષને અધિકારી કેમ ન હેય? હોય જ. કારણકે તેણે આ ભરતક્ષેત્રને વિષે પ્રાસુક દાનનો પ્રભાવ (વિધિ) પ્રથમ પ્રગટ કર્યો છે. (શ્રી કષભદેવ સ્વામીને બાર માસ સુધી શુદ્ધ ભિક્ષા મળી નહીં, છેવટ ભગવાનને જોઈ શ્રેયાંસકુમારને જાતિસ્મરણ થયું, તેથી તેણે ભગવાનને પ્રથમ પ્રાસુક ભિક્ષા આપી તથા આવા વષવાળા સાધુઓને કેવી રીતે અને કેવી ભિક્ષા આપવી? એ સર્વ વિધિ સર્વ લેકેને તેણે બતાવ્ય-શીખવ્યું. ત્યારથી આ ભરતક્ષેત્રમાં સુપાત્રદાનને વિધિ પ્રચલિત થયે, તેથી શ્રેયાંસકુમાર મોક્ષના અધિકારી થાય તેમાં આશ્ચર્ય નથી.) 462 ર૮૩ સુપાત્રને અગ્ય દાન આપવાનું માઠું ફળ. अमणुन्नभत्तपाणं, सुपत्तदिन्नं भवे भवे अणत्थाय | जह कडुअतुंबदाणं, नागसिरिभवम्मि दोवइए // 463 // - જે સુપાત્ર (સાધુ) ને અમને-અગ્ય ભક્તપાનનું દાન આપ્યું હોય તો તે ભવ ભવને વિષે મેટા અનર્થને માટે થાય છે. જેમ દ્રૌપદીએ પૂર્વે નાગશ્રીના ભાવમાં સાધુને કડવા તુંબડાનું શાક વહેરાવ્યું હતું તેમ, 463, (તે શાક પરઠવવાની ગુરૂની આજ્ઞા છતાં પરઠવતી વખતે તે શાકના એક બિંદુવડે અનુભવ કરતાં ઘણા જીવોનો વિનાશ થતો જોઈને તપસ્વી સાધુએ અન્ય જીવપરની દયાને લીધે પિતાના શરીરમાં જ તે સર્વ શાક પરઠવી દીધું અને તરતજ સમાધિમરણવડે મરણ પામીને તે સ્વર્ગે ગયા. પાછળથી આ વૃત્તાંત જાહેર થતાં નાગશ્રીના પતિ વિગેરેએ તેમને વિડંબનાપૂર્વક કાઢી મૂકી, તે જ ભવમાં તે અતિ દુખ પામી અને ત્યારપછી