________________ (9) કાયોત્સર્ગના સેળ આગાર, સમકિતના છ આગાર, ચલપટ્ટને એક આગાર અને અભિગ્રહના ચાર આગાર કહેલા છે. ર૩પ, (આગાર સંબંધી અન્યાચાર્યકૃત ગાથા.) सोलसुस्सग्गे छ सम्मे, पुरिमढ्ढुस्स सगभिगइए पंच। परमठे पंच अब्भत्तढे, पण इअआगारा चउचत्ता // 236 // કાયોત્સર્ગના સેળ આગાર સમિતિના છ આગાર, પુરિમના સાત આગાર, અભિગ્રહના પાંચ આગાર( ચળપદનો એક અને અભિગ્રહના ચાર મળીને પાંચ) પરમ અર્થ—અંત સમયે અણસણ તેના પાંચ તથા ઉપવાસના પાંચ આગાર-આ સર્વે મળીને ચુમાળીશ આગાર કહેલા છે. (આ ગાથા અન્ય આચાર્ય કૃત જણાય છે, આ વિષયની એમની કરેલી બીજીગાથાઓ હોવી જોઈએ)૨૩૬, 150 શ્રાવકની સવા વસે દયા. थूला सुहुमा जीवा, संकप्पारंभओ भवे दुविहा / सावराहनिरवराहा, सावेक्खा चेव निरवेक्खा // 237 // સ્થૂલ (રસ) અને સૂક્ષ્મ (સ્થાવર) એ બે પ્રકારના જીવ છે, તેને સર્વથા નહીં હણનારા સાધુને પરિપૂર્ણ વીશ વસા દયા હેય છે, શ્રાવક પૂલ એટલે બાદર(ત્રીસ) છોને હણે નહીં અને આરંભ સમારંભ કરતાં સૂક્ષ્મ જીવોની (સ્થાવરોની બચી શકે તેટલી ) જયણા કરે એટલે કે સૂક્ષ્મ (બાદર સ્થાવર) ની સર્વથા અહિંસા ગૃહસ્થ પાળી શકે નહીં તેથી સાધુ કરતાં તેની દયાઅધી થઈ તેથી દશ વસા દયા રહી. સ્થૂલ જીવોને પણ સંકલ્પથી એટલે હું એને મારૂં એવી બુદ્ધિથી મારે નહિ, પણ આરંભ સમારંભ કરતાં મરે તેની જયણ છે, તેથી પાંચ વસા દયા રહી. તેમાં પણ નિરપરાધીને ન મારે અને સાપરાધી માટે જયણા છે તેથી અઢી વસા દયા રહી, સાપરાધીને પણ નિરપેક્ષપણે ન હણે અને સાપેક્ષપણે જયેણુ છે તેથી સવા વસો દયા શ્રાવકને સંભવે છે. 237.