SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વાધ્યાયથી સ્વર્ગના સુખનો અનુભવ..! બધા ગુણોનું મૂળ “સ્વાધ્યાય છે. “સ્વાધ્યાય' એ મહા નિર્જરાનું કારણ છે. માટે જ સ્વાધ્યાય જેવો કોઈ તપ નથી એમ કહ્યું છે. તપથી નિર્જરા થાય છે. બાહ્ય તપ કરતાં અભ્યત્તર તપથી અધિક અધિક નિર્જરા થાય છે. સ્વાધ્યાય એ અભ્યન્તર તપ છે માટે એ મહાનિર્જરાનું કારણ છે. સ્વાધ્યાય પણ મોટે ભાગે અધ્યાત્મ, ધ્યાન, યોગને સાધી આપનાર આગમાદિ ધર્મશાસ્ત્રોનો જ કરવાનો, તે પણ લાયકાત કેળવીને, ગુર્વાજ્ઞા મેળવીને જ. ધર્મકથા પણ સ્વાધ્યાયમાં જ આવેછતાં વાચતાં પૂર્વે ગુરુની રજા તો જોઇએ જ. ગુરુની રજા વિના એ પણ વાંચવાની નહિ. ધર્મનું જ્ઞાન સ્વરૂપે તારક હોવા છતાં તે ગીતાર્થ ગુરુને સ્વાધીન હોઈ તેમની અનુજ્ઞા મેળવીને જ વંચાય. | સ્વાધ્યાયથી જ્ઞાનાવરણીય કર્મ ખપે એમ શાસ્ત્ર કહે છે. આ તો ઉઘાડી વાત છે કે ખપે પણ તમને જ્ઞાનાવરણીય કર્મ નડે છે? જ્ઞાન ભણવું હોય પણ ચડે નહીં અને જ્ઞાનાવરણીય નડ્યું કહેવાય. પણ તમારે તો ભણવું છેજક્યાં કે જ્ઞાનાવરણીય નડે છે કે નહિ એની ખબર પડે! સ્વાધ્યાયમાં જેનું ચિત્ત લાગી જાય છે એ તો અહીં પણ સ્વર્ગના સુખનો અનુભવ કરે છે. ધર્મકથા સિવાયનો ચાર પ્રકારનો સ્વાધ્યાય તો બધા રોજ કરી શકે તેવો છે. ધર્મકથા નામનો સ્વાધ્યાય કદાચ બધા કરી શકે તેવું ન બને. કારણ કે તેમાં વિશેષ ક્ષકોપશમાદિ શક્તિ અને યોગ્યતા જોઇએ. -પૂ.આ.દેવ.શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા
SR No.004468
Book TitleShastra Sandesh Mala Part 18
Original Sutra AuthorN/A
AuthorVinayrakshitvijay
PublisherShastra Sandesh Mala
Publication Year2005
Total Pages346
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy