________________ gv૬-૩/પરિશિષ્ટ-૩ 189 अरिहत्तं अरिहंतेसु, जं च सिद्धत्तणं च सिद्धेसु / आयारं आयरिएसु, उज्झायत्तं उवज्झाएसु / / 56 / / साहूण साहुचरियं, देसविरई च सावगजणाणं / अणुमने सव्वेसिं, सम्मत्तं सम्मदिट्ठीणं / / 57 / / ગાથાર્થ : અરિહંત દેવોનું વિશ્વોપકારરૂપ અરિહંતપણું, સિદ્ધ ભગવંતોનું જે સિદ્ધપણું, આચાર્ય ભગવંતોના પંચાચાર પાલન વગેરે જે આચારો અને ઉપાધ્યાય ભગવંતોનું જે (શિષ્યાદિને સૂત્ર પઠન પાઠનાદિ) ઉપાધ્યાયપણું-૫૯. સર્વ સાધુઓનું જે ચરણસિત્તરી કરણ સિત્તરી રૂ૫ ઉત્તમ ચારિત્ર અને શ્રાવકોની જે દેશવિરતિ તથા સર્વ સમકિત-દષ્ટિઓનું જે સમ્યક્ત્વનું પાલન વગેરે, તે સર્વ ગુણોની હું અનુમોદના કરું છું.-૫૭. अहवा सव्वं चिय वीयरायवयणाणुसारि जं सुकडं / कालत्तए वि तिविहं अणुमोएमो तयं सव्वं / / 58 / / ગાથાર્થ અથવા સર્વ જે કાંઈ પણ વીતરાગ વચનને અનુસરતું, ત્રણે કાળમાં થયેલું, થતું અને થનારું અથવા મનથી વચનથી કે કાયાથી કર્યું, કરાવ્યું અને અનુમોડ્યું હોય, એમ ત્રણ પ્રકારનું જે જે સુકૃત તે સર્વની હું અનુમોદના કરું છું.-૫૮. ફળ નિદર્શનઃ હવે ઉપસંહાર કરતાં કહે છે કેसुहपरिणामो निश्चं, चउसरणगमाइ आयरं जीवो / कुसलपयडीओ बंधइ, बद्धाउ सुहाणुबंधाओ / / 59 / / मंदणुभावा बद्धा तिव्वणुभावाओ कुणइ ता चेव / असुहाओ निरणुबंधाओ, कुणइ तिव्वाओ मंदाओ / / 60 / / ગાથાર્થ : એમ શુભ પરિણામથી જીવ નિત્ય ચત શરણનો સ્વીકાર દુષ્કત ગઈ અને સુકત અનુમોદનાનું આચરણ કરતો (નવી) શુભ (પુણ્ય) પ્રકૃતિઓને બાંધે. બાંધેલી (અશુભ અનુબંધવાળીને) શુભ અનુબંધવાળી કરે.-૫૯. અને મંદ રસવાળી બાંધેલી પુણ્ય પ્રકૃતિઓને તીવ્ર રસવાળી કરે. તેમજ અશુભ કર્મપ્રકૃતિઓ બાંધી હોય તેને નિરનુબંધ (અનુબંધ વિનાની) કરે અને તીવ્રરસવાળીને મંદરસવાળી કરે.૬૦.