________________ પૂજ્યશ્રીની મુંબઈમાં-માટુંગા-કેટ-પાયધુની શ્રીનમિનાથજી તથા શ્રીગેડીજી ઉપાશ્રયના ' પાંચ ચાતુર્માસની સ્થિરતા દરમ્યાન અનેક વિધ થયેલ શાસનપ્રભાવનાના ચિરસ્મરણીય અનુદનીય થયેલ કાર્યોની પરંપરાને અદ્યાપિ આરાધક જીવે યાદ કરી અનુમોદના કરી રહ્યા છે. માટુંગામાં થયેલ ભવ્યઅંજનશલાકા પ્રતિષ્ઠા મહામહોત્સવ, પાયધુની શ્રી ગોડીજી તથા શ્રી નમિનાથજી દેરાસરે તથા કેટ, પ્રાર્થના સમાજ કુલ તેમ માટુંગા (સહસ્ત્રફણા પાર્શ્વનાથજી જીનાલયમાં) વિગેરેમાં થયેલ અભૂતપૂર્વ જિનબિમ્બ તથા ધ્વજદંડ, શાસન અધિષ્ઠાયક દેવ દેવીએના પ્રતિષ્ઠા મહોત્સવે તેમ સંખ્યાબંધ જિનેન્દ્ર ભક્તિ નિમિત્તે અઠ્ઠાઈ મહોત્સવ અષ્ટોતરીસ્નાત્ર, શાંતિસ્નાત્રે, શ્રી સિદ્ધચક બહત પૂજન વિગેરે સમ્યગદર્શનની સ્થિરતા દતાનિર્મળતા કરનારા બન્યા હતા. સમ્યગ જ્ઞાનયોગની સાધનાના આલંબનભૂત શ્રીઉપધાન તપની આરાધનાઓ, શ્રીભગવતીસૂત્રના વાંચન પ્રારંભ મહેત્સ, પ્રસ્તુત ઉસહનાચરિયનું લેખનકાર્ય તેમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રીની નિશ્રામાં થયેલ મુનિ સમુહની આગમવાચન-તેમ તે વાચનાની યેગ્યતા પ્રાપ્ત - કરવા મુનિસમુહની ગોહનની સુંદર આરાધના યાદ આવતાં આનંદ આપે છે. સમ્યફ ચારિત્ર અને તપોધની સાધના એ તે પાંચવર્ષની મુંબઈની સ્થિરતામાં આરાધક જીના હૈયે ચિરસ્થાયી બની છે. પૂજ્ય આચાર્યદેવશ્રીના-બાલ-યુનાવ-પ્રૌઢ અને વૃદ્ધ મુનિઓની જ્ઞાનધ્યાન પૂર્વકની ઘેર તપશ્ચર્યાઓ તેમ ચારિત્રનિષ્ઠ મુનિઓના ગણિ પંન્યાસતથા ઉપાધ્યાય પ્રદપ્રદાન જેવા શાસનમાન્ય પદપ્રદાન મહોત્સવ થવા સાથે 20 થી ૨૫-ની સંખ્યામાં બાલ-યુવાન તેમ પ્રૌઢ મુમુક્ષુ જીવને ભાગવતી પ્રવ્રજ્યા પ્રદાન તથા ઉપસ્થાપના આદિના ચારિત્રધર્મની પ્રભાવના કરતાં પ્રસંગે લોકહૈયે જડાઈ રહ્યા છે. શ્રીચતવિધ સંઘમાં પણ અભૂતપૂર્વ બનેલ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજી ભગવંતની વિધિપુરસ્સરની ૧૨૦૦-ની સંખ્યામાં આરાધકની ભવ્યતમ અઠ્ઠમતપની આરાધના તેમ શ્રી થંભન પાર્શ્વનાથ, અભિગ્રહ તેમ સિદ્ધગિરિરાજ અઠ્ઠમ તથા શ્રી ગૌતમસ્વામિજીના છઠ્ઠ તપની હજારે તેમ સેંકડોની સંખ્યામાં થયેલ આરાધના આજે પણ તે સાધકે યાદ કરી રહ્યા છે. પ્રસ્તુત ગ્રન્થકારશ્રીના ગ્રન્થારંભથી લઈ ગ્રંથપૂર્ણાહુતિના લગભગ બાર માસના સમય દરમ્યાન સામુદાયિક એક કોડ નવકાર મહામંત્રના જાપની આયંબીલને તપ કરવા પૂર્વકની સાધનાએ ગ્રંથકાર પૂજ્યશ્રીને દ્વિગુણ ઉત્સાહિત કર્યા છે. ચતુર્વિધ શ્રીસંઘમાં થયેલ આમ રત્નત્રયીની આરાધનાની ઉજવણીરૂપ ભવ્ય ઉઘાપન મત્સ પણ અનુમોદનાના પાત્ર બન્યા છે. ઉપરોક્ત પ્રવૃત્તિ સાથે સાધાર્મિક ભક્તિ અંગે વ્યક્તિગત તેમ સામુહિક પ્રેરણાના પરિણામે હજારની રકમેને સદ્ભવ્યય તે અદ્યાપિ પ્રચ્છન્ન જે રહ્યો છે. આવા ઉત્સાહ ભર્યા વાતાવરણમાં પૂ. પંન્યાસજી શ્રી ચંદ્રોદય વિજયજી ગણિ મહારાજ હાલ ઉપાધ્યાયજી)ની પ્રેરણા પામી આ પ્રાકૃતરૂપાન્તરને પ્રકાશિત કરવા અનેક મહાનુભાવેએ અગાઉથી આર્થિક વ્યય કરી લાભ મેળવ્યું છે જેઓની શુભ નામાવલી યથાસ્થાને મુકવામાં આવી છે,