________________ श्री चक्षुरप्राप्यकारितावादः શ્લોક-૪૯ : અવતરણિકા : શ્લોક ૪૮માં દર્શાવેલી યુક્તિને નહિ માનવાથી પ્રાપ્ત થતી દોષને બતાવે છે. नो चेद्धस्तद्वयमिति द्विकपालघटे तव / उपायस्तत् ग्रहापत्तेः शान्तये कोंऽशदर्शने // 49 // શ્લોકાર્થ : જેમ બે વેતના પરિમાણવાળો ઘડો હોય તો દ્રિવિતસ્તિત્વેન ગ્રહ થાય. તેમ એક હાથના ઘડાના બંને કપાલો પણ એક એક હાથના હોય છે તો તેવા બે કપાલવાળા ઘડાના અંશમાં = કપાલરૂપ અવયવમાં દર્શને-ચક્ષુ સંયોગે ચક્ષુનો સંયોગ થયે છતે, હદયમ્ પટ પરિમાણમ્ ઇત્યાકારક ગ્રહ (એક હાથના ઘડામાં) થવાની આપત્તિની શાંતિનો શું ઉપાય છે? અર્થાત્ કોઈ ઉપાય નથી. 70. कपालांशचक्षुः संयोगे। શ્લોક-૫૦ : અવતરણિકા : જીનભદ્રગણિક્ષમાશ્રમણે વિશેષાવશ્યક ભાષ્યમાં બતાવેલા, ચક્ષુને પ્રાપ્યકારી માનવાથી પ્રાપ્ત થતા દોષને કહે છે. अनुग्रहोपघातौ चाभिष्टानिष्टार्थयोगतः / स्यातां देह इवावश्यं चक्षुषि प्राप्यकारिणि // 50 // શ્લોકાર્થ : અને ચક્ષુ પ્રાપ્યકારી હોતે છતે અભીષ્ટ અને અનિષ્ટ અર્થના યોગથી શરીરની જેમ અવશ્ય અનુગ્રહ ને ઉપઘાત થવા જોઈએ. 7. વિષયસ્થલ્લે રતિ ભાવ: શ્લોક-પ૧ : અવતરણિકા : પૂર્વના શ્લોકમાં બતાવેલો તર્ક એ તકભાસ નથી. એવું સિદ્ધ કરતાં કહે છે. इष्टापत्तिश्च नेन्द्वर्क-किरणाभ्यामिहोचिता। त्वग्वत् प्राप्तेन मूर्तेन यतः प्राप्तस्य तौ न तु // 51 // શ્લોકાર્થ ? બીજું “ચન્દ્ર અને સૂર્યનાં કિરણોથી અનુગ્રહ ને ઉપઘાત રૂપ આપાદ્ય ચક્ષુરૂપ પક્ષમાં રહેતો હોવાથી ઈષ્ટાપત્તિ રૂપ દોષ આવશે અને ઉપલક્ષણથી વિપર્યય