SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ श्री चक्षुरप्राप्यकारितावादः શ્લોક-૪ર : અવતરણિકા : સ્વચ્છ દ્રવ્ય ગતિપ્રતિબંધક બની શકતા નથી અને કમલાદિ સ્વચ્છદ્રવ્ય નથી માટે એનો ભેદ થતો નથી જેમ અતિકઠિન એવા પણ લોખંડને ભેદી શકનાર પારો તુંબડાને ભેદી શકતો નથી આવું ઉદયનાચાર્યે જે સમાધાન આપ્યું છે એનું સમાધાન કરતા કહે છે. અથવા કોઈને પ્રશ્ન થાય કે સ્ફટિકાદિને ભેદીને કિરણોની ગતિ થાય છે. એવું ન માનીએ તો અનુભવસિદ્ધ એવા કાચાદિ વ્યવહિતના પ્રકાશની સંગતિ કેવી રીતે કરી શકાય? તેના સમાધાન માટે વાસ્તવિક સંગતિને બતાવવા કહે છે. संसर्गिद्रव्यसच्छाये परिणामे प्रसारिणि / प्रसत्तिसपयुक्ता स्यान्नतु स्वाश्रयभेदने // 42 // શ્લોકાર્થ : વ્યવધાયક પદાર્થગત પ્રસત્તિ = સ્વચ્છતા એ સંબદ્ધ દ્રવ્ય જેવું હોય તેવા પ્રસાર પામનારા પરિણામ માટે ઉપયોગી છે. પરંતુ સ્વાશ્રયનાં-સ્વચ્છદ્રવ્યનાં ભેદ માટે નહિ. નોંધ : અહીં સપ્તમી નિમિત્ત સપ્તમી છે. તેથી ‘માટે એવો અર્થ કરી શકાય. 57. वास्तवीमुपपत्तीमाह / 58. सम्बन्ध-द्रव्यसदृशे / 59. स्वशब्देन प्रसत्तिस्तदाश्रयः प्रसन्नद्रव्यं स्फटिकादि। શ્લોક-૪૩ : અવતરણિકા : કોઈને પ્રશ્ન થાય કે કાચથી અન્તરિત પદાર્થનો ગ્રહ થાય છે. તો દર્પણથી અન્તરિત પદાર્થનું ગ્રહણ કેમ થતું નથી? તેના સમાધાન અર્થે કહે છે. सर्वतो हि प्रसन्नस्य तथा परिणति वा / परभागे तु विषमे पुरस्थप्रतिबिम्बनम् // 43 // શ્લોકાર્ધ : બધી જ બાજુથી સ્વચ્છ દ્રવ્યની તથા પરિણતિ = સંસર્ગિ દ્રવ્ય સંદેશ પરિણામ અવશ્ય થાય જ છે. પરંતુ જ્યારે પરભાગ વિષમ-અસ્વચ્છ હોય ત્યારે સન્મુખ રહેલી વસ્તુનું પ્રતિબિમ્બ થાય છે. 60. સંતવ્યસંછીયપરિતિઃ | 62. અપ્રસન્ના
SR No.004442
Book TitleChakshurprapyakaritawad
Original Sutra AuthorN/A
AuthorPunyapalsuri
PublisherParshwabhyuday Prakashan
Publication Year2009
Total Pages268
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy