SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ श्री चक्षुरप्राप्यकारितावादः શ્લોક-૯ : અવતરણિકા : પૂ. ઉપાધ્યાયજી મહારાજ, આ વર્ધમાન-ઉપાધ્યાયના મતનું ખંડન કરતાં કહે છે. 'तेन प्रसारिताक्षेण प्रत्युदीची महीयसि / चान्द्रे महसि सौरे वा प्रेक्षे( क्ष्ये )त कनकाचलः // 9 // શ્લોકાર્થ H ચન્દ્ર કે સૂર્યના ઘણાં બધાં પ્રકાશમાં જ્યારે તે વર્ધમાન ઉપાધ્યાય, ઉત્તરદિશા તરફ આંખ ખોલશે ત્યારે તેને મેરૂપર્વતના પણ દર્શન થવા જોઈએ. (કારણ કે ચન્દ્રની જેમ વિષયનું દૂર હોવું અને ચન્દ્રાદિના કિરણો દ્વારા આંખનાં કિરણોનું વધવું, તે ઉભયત્ર સમાન છે.) રૂ. વર્ણમાના શ્લોક-૧૦ અવતરણિકા : ઉક્ત દોષનો પરિહાર અને તેનું પણ ખંડન કરે છે. तद्गतेर्नियतत्वेन न दोष इति चेन्मतम् / ' तत्तद्धेतोरिति न्यायाज-ज्ञापकं स्तानियामकम् // 10 // શ્લોકાર્થ: “ઘટાદિ વિષય જ્યાં સુધી દેખાતો હોય ત્યાં સુધી જ આંખના કિરણો જઈ શકે છે. તેથી મેરૂપર્વત દેખાવાની આપત્તિ આવતી નથી” આ પ્રમાણે જો તમે માનશો તો તહેતો રેવાતું કિં તેન' = “જેના હેતુ માત્રથી જ જે કાર્ય ઉત્પન્ન થઈ શકે તેમ હોય તે કાર્ય માટે તેની પોતાની અપેક્ષા શું છે?' આ લાઘવમૂલક પ્રસિદ્ધન્યાયથી વિષયદેશ સુધી જનારી એવી ચક્ષુની ગતિ = પ્રાપ્તિ = સંયોગનો જે નિયામક = જનક છે. તે જ સાક્ષાત જ્ઞાનોત્પાદક પણ થાઓ. 14. अनतिक्रान्तदर्शनावधिकत्वेन / 15. तद्धेतोरेवास्तु किं तेन / 16. ज्ञानजनकम् / શ્લોક-૧૧ : અવતરણિકા: ચક્ષુરશ્મિના સંયોગનો જે જનક છે તેને જ ચાક્ષુષજ્ઞાન પ્રત્યે જનક માનવામાં લાઘવરૂપ ફાયદો તો છે જ તે સિવાય પણ બીજા ફાયદાઓ છે તે જણાવે છે.
SR No.004442
Book TitleChakshurprapyakaritawad
Original Sutra AuthorN/A
AuthorPunyapalsuri
PublisherParshwabhyuday Prakashan
Publication Year2009
Total Pages268
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy