SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ છે. અન્ય અન્ય સમુદાયો, ગચ્છો અને સંપ્રદાયોમાં દીક્ષા પ્રવૃત્તિના વેગમાં પણ તેઓ શ્રીમદ્ અસામાન્યકારણરૂપ છે એમ કોઈ પણ નિષ્પક્ષપાતીને કહ્યા વિના ચાલે તેમ નથી. પૂજયપાદશ્રીજીના દીક્ષાસ્વીકારની ક્ષણ વિ.સં. ૨૦૬૮ના પોષ સુદ ૧૩ના દિને શતાબ્દીમાં મંગલ પ્રવેશ કરી રહી છે અને પૂરા વર્ષભર એ નિમિત્તે દીક્ષાધર્મની પ્રભાવનાનાં વિધવિધ અનુષ્ઠાનોની હારમાળા સર્જાઈ રહી છે. પાલિતાણા ખાતે “સૂરિરામચંદ્ર સામ્રાજ્યના મોવડી પૂજયો ગચ્છસ્થવિર પૂજ્ય આચાર્યદેવ શ્રીમવિજય લલિતશેખરસૂરીશ્વરજી મહારાજા, વાત્સલ્યનિધિ પૂજય આચાર્યદેવ શ્રીમદ્વિજય મહાબલસૂરીશ્વરજી મહારાજા, ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્યદેવ શ્રીમવિજય પુણ્યપાલસૂરીશ્વરજી મહારાજા, પ્રવચનપ્રભાવક પૂજય આચાર્યદેવ શ્રીમદ્વિજય કિર્તિયશસૂરીશ્વરજી મહારાજા આદિ દશાવિક સૂરિવરો, પદસ્થો, શતાધિક મુનિવરો અને પંચશતાધિક શ્રમણવરોની નિશ્રા-ઉપસ્થિતિમાં પંચદિવસીય મહામહોત્સવના આયોજન સાથે પ્રારંભાયેલ “દીક્ષાશતાબ્દીની ભારતભરમાં અનેક સ્થળે ભાવસભર ઉજવણી થનાર છે. પૂજ્યશ્રી સાથે સંકળાયેલા સ્મૃતિસ્થાનો-તીર્થોમાં પણ વિવિધ ઉજવણીઓ આયોજાયેલ છે. સમુદાયના અન્ય અન્ય સૂરિવરો આદિની નિશ્રા ઉપસ્થિતિમાં ય રાજનગર, સુરત, મુંબઈ વગેરે સ્થળોમાં પ્રભાવક ઉજવણીઓનાં આયોજનો થયાં છે. આ સર્વે ઉજવણીઓના શિરમોર અને સમાપનરૂપે પૂજયપાદશ્રીજીનાં દીક્ષાસ્થળ શ્રી ગંધારતીર્થના આંગણે વધુમાં વધુ સંખ્યામાં ચતુર્વિધ શ્રીસંઘને આમંત્રી દિગદિગંતમાં ગાજે એવો દીક્ષાદુંદુભિનો પુણ્યઘોષ કરવાનો ય મનસૂબો ગુરુભક્તો અને સમિતિ સેવી રહ્યા છે. દીક્ષાશતાબ્દી વર્ષમાં જિનભક્તિ, ગુરુભક્તિ, સંઘ-શાસનભક્તિનાં વિવિધ અનુષ્ઠાનો જેમ યોજવાનાં છે તેમ વધુમાં વધુ સંખ્યામાં મુમુક્ષુઓ મહાત્માઓ બને એવા દીક્ષા મહોત્સવો પણ યોજવાના છે. સાથોસાથ જ્ઞાનસુરક્ષાવૃદ્ધિ, અનુકંપા અને જીવદયાદિનાં સંગીન કાર્યો કરી પૂજયપાદશ્રીજીના આજ્ઞાસામ્રાજ્યને આદરભરી અંજલિ સમર્પવાની છે. આ મહદ્ યોજનાના જ એક ભાગરૂપે પ્રાચીન અર્વાચીન શ્રુતપ્રકાશનનું સુંદર અને સુદઢ કાર્ય હાથ ઉપર લેવાયું છે. સૂરિરામચન્દ્રસામ્રાજ્યના વર્તમાનગચ્છાધિપતિ પ્રવચનપ્રદીપ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમવિજય પુણ્યપાલસૂરીશ્વરજી મહારાજાના આજ્ઞાશીર્વાદને ઝીલી પ્રવચનપ્રભાવક પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમવિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજાના શાસ્ત્રીય માર્ગદર્શન અનુસાર વિવિધ ઋતરત્નોનું પ્રકાશન “શાસનશિરતાજ સૂરિરામચંદ્ર દીક્ષાશતાબ્દી ગ્રંથમાળાના' ઉપક્રમે નિર્ધાર્યું છે, તેનાં તૃતીયપુષ્પરૂપે ‘યો પ્રિન્થવ્યાપદ્યાસંઘ' પુસ્તકનું પ્રકાશન કરતાં અતી આનંદ અનુભવીએ છીએ. આ પુસ્તકનું સંકલન-સંપાદન કાર્ય પ્રવચનપ્રભાવક પૂ.આ.શ્રી વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજાએ કરીને મહદ્ ઉપકાર કર્યો છે તો સન્માર્ગપ્રકાશન, અમદાવાદે પણ ખૂબજ જહેમતથી મુદ્રણપ્રકાશન વ્યવસ્થામાં પૂરેપૂરો સહયોગ આપ્યો છે તે બદલ અમો તેઓ સહુના ઉપકૃત છીએ. સૌ કોઈ આ પુસ્તકના પઠન-પાઠનાદિ દ્વારા જ્ઞાનાવરણીયાદિ કર્મોનો ક્ષયોપશમ પામી મુક્તિમાર્ગમાં આગળ વધી આત્મશ્રેય: સાધે એ જ અંતર-ભાવના. વિ.સં. 2068, પોષ સુદ 13 શાસનશિરતાજ સૂરિરામચંદ્ર શનિવાર તા. 7-1-2012 દીક્ષાશતાબ્દી સમિતિ
SR No.004439
Book TitleYog Granth Vyakhya Sangraha
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSuri Ramchandra Shatabdi Samiti
Publication Year2012
Total Pages150
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy