SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ 58 છપાઈને મૂળનાયક ભગવાનના ખોળામાં મૂકી દેવાનો એટલે વિમોચન થઈ ગયું. વિમોચન શબ્દનો મૂળ અર્થ પણ મુકવું એવો જ થાય છે. સંવત્ ૨૦૪૪ના અષાડસુદિ એકમનો એ દિવસ હતો. સાહેબજી અને પ.પૂ. પ્રદ્યુમ્નસૂરિજી મહારાજનું ચોમાસું પાલીતાણામાં હતું. મારી (મુનિ પુંડરીકર7) તે જ વર્ષે દીક્ષા થયેલી. ત્રણ વર્ષથી દુકાળ ચાલુ હતો. આ વર્ષે પણ વાયરા એવા વાતા હતા કે જાણે રાક્ષસો અટ્ટહાસ્ય કરી રહ્યા હોય ! જાણે અનેક મડદાઓ પડવાના ન હોય ! ભયંકર ગરમી. ગિરિરાજ ચઢતા રસ્તામાં આવતા બધાં કુંડોના તળીયે સુકાઈ ગયેલી માટી જ માત્ર હતી. ભીનાશ પણ નહતી. ઉપર દાદાની પૂજા માટે સ્નાન કરવા પણ પાણી ન મળે. માનવોને પણ પીવાના પાણીના ફાંફા ત્યાં ઢોરોને તો કોણ યાદેય કરે. પણ સાહેબજીને વારંવાર ચિંતા પશુ પંખીઓની થાય. પ્રદ્યુમ્નસૂરિજી મ.સા. પાસે વેદના ઠાલવી. પૂજય પ્રદ્યુમ્નસૂરિજી મ.ને વિચાર ફર્યો કે આપણે દાદાનો અભિષેક કરાવીએ તો કેમ? અને સાહેબજીએ એ વિચારને ઝીલી લીધો. શ્રેણિકભાઈ પાસે અનુમતિ માંગી લીધી. ચંદુભાઈ ઘંટીવાળાને તૈયારી કરવા જણાવી દીધું. સમય ઘણો ઓછો હતો. મારા (પુંડરીકરત્નના) સંસારી પક્ષે બનેવી શ્રી અજીતભાઈ ઘોઘાવાળા પાસેથી અભિષેકની ઔષધિઓ ગુણો ભરીને પ્લેનમાં મુંબઈથી ચંદુભાઈ ઘેટીવાળા લઈને આવ્યા. કેસરીયાજીનગરમાં પૂજય પ્રદ્યુમ્નસૂરિજી મહારાજની દેખરેખ હેઠળ 40 બાઈઓ તેને વીણીને શુદ્ધ કરવી, ખાંડવી, તેના પડિકાઓ તૈયાર કરવા વગેરે કામે લાગી ગઈ. યુદ્ધના ધોરણે તડામાર તૈયારીઓ કરવા માંડી. છાપામાં નાનકડી જાહેરખબર પણ અપાઈ ગઈ કે અષાડ સુદિ એકમના દાદાના અભિષેક દુષ્કાળને દૂર કરવા માટે છે. અભિષેક માટે કેટલીક નદીઓના પવિત્ર જળ તો પ્લેનથી મંગાવવામાં આવ્યા. શુભ દિવસે અભિષેક શરૂ થયા. અને સાહેબજી તો દાદાને વારંવાર કાકલુદિ ભરી વિનંતિ સ્પષ્ટ બધા સાંભળે તેવા શબ્દોમાં કરતાં હતા. - દાદા ! દાદા ! કરીને હાથ લંબાવી લંબાવીને કહે કે, દાદા પશુઓને બચાવવા માટે પણ કૃપા કરો અને ૬ઠ્ઠો અભિષેક શરૂ થયો આકાશમાં એક નાનકડી વાદળી પણ ન હતી ને ભગવાનની કૃપાથી વાદળાઓ ભેગા થવા લાગ્યા. ઝરમર છાંટણા શરૂ થયા ને થોડીવારમાં તો વરસાદ તૂટી પડ્યો. અમે અભિષેક પૂર્ણ કરીને નીચે ઉતરતા હતા ત્યારે જે કુંડોમાં સુકી ધૂળ સિવાય કંઈ જ નહતું તે કુંડો પાણીથી ઉભરાઈ ગયા હતા. આવો હતો ભક્ત અને ભગવાનનો સંબંધ. રાજકોટથી શશીકાંતભાઈ મહેતા પણ અભિષેકમાં હાજર હતા. લોકો દાદાના દરબારમાં ભેગા થઈને જે નાચ્યા છે. તે દશ્ય આજે પણ આંખ સામે તાદેશ્ય થાય છે. શશીકાંતભાઈએ નીચે આવી સાહેબજીને કહ્યું કે આપણે તો દાદાને થોડા કળશ પાણી આપ્યું. પણ દાદાએ આપણને કરોડોગણું પાણી આપ્યું. વરસાદથી અન્ય પ્રજામાં પણ સાહેબજી માટે ખૂબ બહુમાન ઉભુ થયું. અને પાલીતાણાના જેટલા ઢોલીઓ હતા તે બધા સ્વયંભૂ ભેગા થઈને બીજે દિવસે દાદાના દરબારની બહાર કુંડાળું વળી પોતપોતાના ઢોલ વગાડતા વગાડતા ખૂબ નાચ્યા હતા. સાહેબજી શંખેશ્વર તીર્થની આસપાસના ક્ષેત્રોમાં ઘણો કાળ વિચર્યા હતા. ઘણા ચોમાસા કર્યા હતા. તેમાં આદરીયાણા ગામમાં એક રતિભાઈ નામના કોળી ઠાકોર હતા. સાવ સામાન્ય આર્થિક સ્થિતિ. ઠાકોરવાસમાં રહે પણ સાહેબજી પ્રત્યે અપાર ભક્તિ. એકવાર તેની ગાયને કોઈ અકળ રોગ થયો. ડોક્ટરે
SR No.004431
Book TitleUvavai Suttam
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherMahavir Jain Vidyalay
Publication Year2012
Total Pages362
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_aupapatik
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy