________________ સફલતા મલે, વિરાધના વગરની આરાધના પમાય; આવા બધા જ મા મુખ્ય અને ગૌણ ભાવે લાભનું જ કારણ છે. તે પણ બધામાં વીતરાગ વાણીને સૌ પ્રથમ જ નંબર આવે છે જ્ઞાનકિયાખ્યાં છે. જ્ઞાન અને ક્રિયા બંને મેક્ષમાર્ગને ઉપાય હોવા છતાં, જ્ઞાનને નંબર જ પ્રથમ રહે છે. જ્ઞાનવાનની જ ક્રિયાઓ ફલાવતી બની છે. જ્ઞાનથી જ ક્રિયાઓ પમાય છે. દાન-શીલ-તપ અને વૈયાવચ્ચ વિગેરે આરાધનાના માગીને પણ જ્ઞાન જ સમજાવે છે. જ્ઞાનથી જ તે તે ક્રિયામાં રુચિ જન્મે છે. જ્ઞાનથી જ શ્રદ્ધા મજબૂત બને છે. જ્ઞાનવડે જ સુપાત્રોની ઓલખાણ આદર-સત્કાર-અનુમોદન પમાય છે. જ્ઞાનથી જ વિષયો પ્રત્યે શગ પ્રકટે છે અને વિષય છોડાય છે. જ્ઞાનથી જ દ્રવ્ય અને ભાવદયાના પરિણામે પ્રકટ થાય છે. જ્ઞાનથી જ સર્વ ને સુખિયા બનાવવાની વિચારણુઓ –ભાવનાઓ આવ્યા કરે છે. જ્ઞાનથી જ સર્વ જીવોને, શાસનના રસિયા બનાવવા અભિલાષ પ્રકટ થાય છે. જ્ઞાનના જ પ્રતાપે જિનનામ જેવા અતિ ઉચ્ચતર પુણ્યને બંધ પડે છે. જ્ઞાનથી જ નંદન મુનિ જેવા મહાપુરૂષે લાખ માસક્ષમણે (11-80 6-45) કરી શક્યા છે. જ્ઞાનની સહાયથી જ બાહુ–સુબાહુ અને નંદિષેણ જેવા આત્માઓ અજોડ વૈયાવચ્ચ કરી શક્યા છે. શાનથી જ મેતાર્ય–સુશલ-કીર્તિધર, ગજસુકુમાર, ઝાંઝરિયા મુનિ, ખંધકમુનિ, અંધસૂરિના 499 શિષ્યો વિગેરે હજારો-લાખે મુનિરાજે ભયંકર ઉપસર્ગોને પણ ક્ષમાની તાકાદથી પચાવી શક્યા છે. માટે જ સર્વ આરાધનાનું અસાધારણ કારણ વીતરાગદેવની વાણું--જ્ઞાન જ છે અને બધા બીજા આરાધનાઓના માર્ગો તે જ્ઞાનનું કાર્ય છે.