SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાન અને એય સમ્યજ્ઞાન. સમ્યજ્ઞાન વિના આત્માનું જ્ઞાન ક્યાંથી સંભવી શકે? સમ્યજ્ઞાનથી તે આત્માને લાધે છે પારદર્શી સંજયદષ્ટિ. એ સંજયદષ્ટિ આત્માને દોરી જાય છે ચરમ વિકાસના અનુત્તર શિખર પર. આજના યુગમાં સામાન્ય જ્ઞાનનું પણ કેટલું વિશાળ મહત્વ છે એ ભાગ્યે જ કેઈનાથી અજાણ્યું હશે. જે સામાન્ય વ્યવહાર જ્ઞાનનું પણ આટલું મહત્વ હોય તે સમ્યજ્ઞાન કેટલું મહત્વપૂર્ણ છે એનું વિવેચન કરવાની જરૂર છે ખરી? સમ્યજ્ઞાન સ્વરૂપ જિનાગમને રસાસ્વાદ કરતાં કરતાં ભગવાન હરિભદ્રસૂરિજીના અન્તઃકરણમાં એ રસેવેધ સધાય કે એ અનન્ય વિભૂતિના મુખમાંથી પણ આ ઉદ્ગાર સરી પડ્યા, “ભગવાન જિનનું સમ્યજ્ઞાન ન હોત તે આ પાંચમા આરામાં એના વિના અનાથ બની જતા અમારા જેવાના શા હાલ થાત?” આ છે સમ્યજ્ઞાનનું અપરિમેય મહત્વ. આપણે ભાગ્યશાળી છીએ કે આ સભ્યશ્રત પૂર્વના મહાપુરુષની કૃપાએ આપણા સુધી પહોંચ્યું છે. અને સાથે અભાગી પણ છીએ કે આપણુ વારામાં જ એ વિશેષતઃ નષ્ટ થવા બેઠું છે. આપણી એ અંગેની સશ્યિામ ઉપેક્ષાને કારણે. પૂર્વના મહાપુરુષોએ આપેલ સભ્યશ્રતને આ અણુમલ વારસે ભાવી પેઢીઓ સુધી પહોંચાડવાની આપણી કરજ ખરી કે નહિ? આપણું પવિત્ર કર્તવ્ય ખર કે નહિ | આપણી નૈતિક જવાબદારી ખરી કે નહિ? આ મંગળ વારસે આપણી ભાવી પેઢી સુધી પહોંચાડવાની વ્યવસ્થા ન કરીએ અને એ રીતે વિશ્વમાત્રનું કલ્યાણ સાધવા માટે સમર્થ એવા મંગલ શ્રતનું રક્ષણ ન કરીએ તે ભાવી પેઢી આપણને ધર્મદ્રોહી અને શ્રદ્રોહી તરીકે ઓળખાવે તે નવાઈ નહિ. જ નહિ નહિ, આવું તે કેમ જ બનવા દેવાય? | અમે નિર્ધાર કર્યો છે, અડગ નિશ્ચય કર્યો છે કે એ નષ્ટ થતા મૃતનું નવપ્રકાશન [પુનર્મુદ્રણ] કરીને એનું રક્ષણ પ્રકાશકીય :.. કરવું તથા એ મંગળ વારસે ભાવી પેઢી માટે સુરક્ષિત કરે અને જ્ઞાન ભંડારમાં સંસ્થાપિત કરી દે. કમલ પ્રકાશને આ બીડું ઝડપ્યું છે, અમારી સંસ્થા એટલે સમગ્ર જૈન સંઘની સંસ્થા. બેશક, અમે આ બીડું ઝડપ્યું છે ખરું પરંતુ એની સફળતાને આધાર આપના ઉપર છે, સંઘ ઉપર છે, સંઘના અગ્રગણ્ય વહીવટદારે ઉપર છે. આ બધાને અમને સાથ મળે તે આપણું અલભ્ય અને દુર્લભ્ય ગ્રન્થનું પુનઃ પ્રકાશન કરવાનું હાથ ધરેલું કાર્ય સહજમાં તે નહિ, પરંતુ ઓછી કઠિનાઈએ પાર પડે તેવું છે. પૂજ્ય આ. ભગવંતે તથા પૂ. વિદ્વાન મુનિવરે અમને ગ્ય માર્ગદર્શન આપે અને અપ્રકાશિત તથા અલભ્ય ગ્રન્થની સૂચિ મોકલી આપે અને સંઘના વહીવટદારે જૈન સંઘને શ્રુતજ્ઞાનનું મહત્વ સમજાવી આ માર્ગ જ્ઞાનદ્રવ્યને અને દાનને પ્રવાહ વાળે તે અમારા કાર્યમાં એ પાયાને સહકાર આપ્યો ગણાશે. આજે અનેક શહેર તથા ગામના સંઘમાં જ્ઞાન ખાતાનું અણવપરાયેલું ઘણું નાણું પડયું છે. તેને ઉપયોગ કરવાને સમય હવે પાકી ગયો છે. શ્રી સંઘના આગેવાને આ વાતને સમજે અને સમ્યકુશ્રુતના વારસાને સુરક્ષિત કરવાના અમારા પ્રયાસને વેગ આપે એવી વિનમ્ર પ્રાર્થના છે. એ પણ સ્મરણમાં રાખવાનું અતિ આવશ્યક છે કે આ પરિપકવ સમયે જ્ઞાનખાતાની એ રકમને એગ્ય ઉપયોગ કરી લેવામાં નહિ આવે તે એ નાણાં ખાટે માર્ગે વપરાઈ જવાને ભય પણ માથે તળાઈ જ રહેલો છે. કારણકે સરકારના ડેાળા આવા ધર્મદ્રવ્યની રકમ ઉપર ક્યારનાય તરાઈ ચૂક્યા છે. - આવા સમયે કઈ પણ શાણુ આગેવાનની ફરજ શું હોઈ શકે? યેગ્ય સમયે શ્રતસમુદ્ધારના યેવ્ય કાર્યમાં સંઘના આગેવાને આ દ્રવ્ય નહિ વાપરે તે ક્યારે વાપરશે ? પૂ. હરિભદ્રસૂરિજી મહારાજ, પૂ. હેમચન્દ્રસૂરિજી મહારાજ તથા પૂ. ઉપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજ વગેરેના કેટલાય ગ્રન્થ કે જે યુગ, અધ્યાત્મ, ઉપદેશ, જ્યોતિષ, ન્યાય વગેરે અનેક ગંભીરવિષને આવરી લે છે અને વિશ્વને
SR No.004358
Book TitleUpmitibhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year
Total Pages306
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy