________________ આ બે બોલ. . એ તે સૌ કઈ સમજી શકે તેમ છે કે–જેનઈતિહાસ” લખી શકાય હેવાં સંપૂર્ણ સાધન હજૂ સુધી બહાર આવવા પામ્યાં નથી. બેશક, એટલું તે ખરૂં જ છે કે- જેનઈતિહાસ” લખી શકાય, હેવાં સાધને આપણામાં છે ઘણાં, પરંતુ તે છૂટા છવાયાં છે અને અપ્રસિદ્ધ છે. અતઓવ ઇતિહાસના શેખીતું એ પહેલું કર્તવ્ય છે કે ઈતિહાસને લગતાં હેવાં સાધને પ્રથમ પ્રકાશમાં આણવાં, અને રહારે તે બધાં સાધને લગભગ બહાર આવી જશે, હારેજ કોઈ પણ લેખકને જેને ઇતિહાસ” લખવામાં લગારે મુશ્કેલીની હામે થવું પડશે નહિં. આવાં સાધનો પૈકી શિલાલેખ, તામ્રપત્ર, પ્રશસ્તિઓ અને બીજા જહે કંઈ સાધને હોય તે મેળવીને પ્રાચીન નગરોનાં ઐતિહાસિકદષ્ટિથી વૃત્તાન્ત બહાર પાડવાં એ પણ એક પ્રધાન કતવ્ય રૂપે છે. આ વાતને લક્ષ્યમાં રાખીને, ગયાના આગલા વર્ષમાં હારે આપણા સુપ્રસિદ્ધ શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય શ્રીવિજયધર્મસૂરિ એ. એમ. એ. એસ. બી. મહારાજ ઉદેપુરમાં બિરાજતા હતા, ત્યહારે તેઓશ્રીએ, ઉપાધ્યાયજી શ્રીઇન્દ્રવિજયજી મહારાજ દેલવાડાથી જ શિલાલેખે લાવેલા, તે અને બીજા કેટલાંક સાધને ઉપરથી આ પુસ્તક તૈયાર કર્યું હતું કે હેને પ્રકટ કરવાનું સૌભાગ્ય અમને પ્રાપ્ત થયું હતું. આ પુસ્તકની પ્રથમ આવૃત્તિ બહાર પડતાં અમે જહે જહે સાક્ષરે અને સુપ્રસિદ્ધ માસિકપત્ર ઉપર આની નકલ મેલાવી હતી, તે દરેકે એકી અવાજે - આ પ્રશંસા કરી છે. અને ઘણુઓ મુક્તકઠે એમ કહી શક્યા છે કે આજ