SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ योगविशिका प्रकरण सटीक, सानुवाद, गाथा-१९ 63 मैवम्, कैवलिनः स्वात्मनि मोक्षस्य योजनीयत्वेऽपि ज्ञानाकाङ्क्षाया अविषयतया ध्यानानालम्बनत्वाक्षपकश्रेणिकालसम्भविविशिष्टतरयोगप्रयत्नाभावादावर्जीकरणोत्तरयोगनिरोधप्रयत्नाभावाचाक्तिनकेवलिव्यापारस्य ध्यानरूपत्वाभावाद् / उक्तान्यतरयोगपरिणतेरेव ध्यानलक्षणत्वात् / आह च महाभाष्यकार: - 'सुदढप्पयत्तवावारणं णिरोहो व विजमाणाण / - झाणं करणाण मयं' ण उ चित्तणिरोहमित्तागं / / 1 / / ' इति / [विशेषा. गाथा-३०७१] स्यादेतत्, यदि क्षपकश्रेणिद्वितीयापूर्वकरणभावी सामर्थ्ययोग एवानालम्बनयोगो ग्रन्थकृताऽभिहितस्तदा तदप्राप्तिमतामप्रमत्तगुणस्थानानामुपरतसकलविकल्पकल्लोलमालानां चिन्मात्रप्रतिबन्धोपलब्धरत्नत्रयसाम्राज्यानां जिनकल्पिकादीनामपि निरालम्बनध्यानमसङ्गताभिधानं स्यादिति / તમારે આ રીતે શંકા ન કરવી. કેમ કે, કેવળજ્ઞાનીને હજી મોક્ષ મેળવવાનો બાકી હોવા છતાં પણ એટલે કે પોતાના આત્મામાં હજી મોક્ષનું જોડાણ બાકી હોવા છતાં પણ (પરમતત્ત્વને જોવાની ઈચ્છા સ્વરૂપ) જ્ઞાનાકાંક્ષા તેઓને હોતી નથી. એથી એમને ધ્યાનનું આલંબન હોતું નથી. એથી એમનામાં ક્ષપકશ્રેણી કાળમાં થનારો વિશિષ્ટતર યોગપ્રયાસ હોતો નથી અને (તેરમા ગુણસ્થાનકના છેડે કરાતા) આવર્જીકરણ નામની ક્રિયા કર્યા બાદ થનારા યોગનો નિરોધ કરવાના પ્રયાસનો એમનામાં અભાવ હોવાથી તે પૂર્વે રહેતો કેવળજ્ઞાનીનો વ્યાપાર (સાલંબન કે નિરાલંબન : કોઈ પણ પ્રકારના) ધ્યાનરૂપ હોઈ શકતો નથી. શંકા - તો કેવળીને મોક્ષ પ્રાપ્તિ માટે જરૂરી નિર્જરા સાધવામાં કારણરૂપ કોઈક ધ્યાન તો હશે જ ને ? સમાધાન - પહેલાં કહ્યું તે મુજબ ધ્યાન બે પ્રકારના જ છે. 1 - યોગના વિશિષ્ટ પ્રયોગરૂપ અને 2 - યોગના નિરોધરૂપ - આ બે પ્રકારની પરિણતિ સિવાય અન્ય કોઈ પ્રકારનું ધ્યાન હોતું નથી. તેથી - 1 - ક્ષપકશ્રેણિ વખતના વિશિષ્ટતર યોગ પ્રયાસરૂપ (ધ્યાન) અને . : 2 - (૧૩માં ગુણસ્થાનકના અંતે કરાતા) યોગનિરોધના પ્રયાસરૂપ આત્મપરિણતિ જ ધ્યાન છે. તેથી કેવળજ્ઞાનની પ્રાપ્તિથી લઈ યોગનિરોધના પ્રારંભ સુધીની કેવળજ્ઞાનીની પરિણતિ ધ્યાનરૂપ નથી. માટે યોગનિરોધના પૂર્વે કેવળીને મોક્ષાનુકૂળ સાલંબનયોગની પ્રવૃત્તિ નથી.) (વિશેષાવશ્યક) મહાભાષ્યના રચયિતા પૂજ્યપાદ શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણજી મહારાજે કહ્યું છે કે - “(કેવળજ્ઞાન પૂર્વે ક્ષપકશ્રેણી વખતે) સુદઢપણે મજબૂતીથી પ્રવર્તાવેલો યોગવ્યાપાર અથવા (કેવળજ્ઞાન થયા બાદ યોગનિરોધ પૂર્વે) વર્તતા એવા (મન-વચન-કાયારૂપ) કરણોનો નિરોધ ધ્યાનરૂપે માન્ય છે, નહિ કે કેવળ ચિત્તનો નિરોધ જ !" વિશેષાવશ્યક ભાષ્ય ગાથા-૩૦૭૧] શંકા - ક્ષપકશ્રેણી (કાળમાં થતા) બીજા અપૂર્વકરણમાં થતો સામર્મયોગ જ અનાલંબન છે એમ જો ગ્રંથકારશ્રીએ કહ્યું છે તો - " એ સામર્થ્યયોગની પ્રાપ્તિ જેને થઈ નથી એવા, અપ્રમત્ત (૭મા) ગુણસ્થાનકવાળા, સર્વવિકલ્પના તરંગોની માળા જેમની શમેલી છે એવા, જ્ઞાન સ્વરૂપ આત્મસ્વભાવમાં જ રહેવાથી જેઓએ રત્નત્રયીનું સામ્રાજ્ય પ્રાપ્ત કર્યું છે, તેવા, જિનકલ્પી આદિ મુનિઓને નિરાલંબન ધ્યાન હોય છે એમ શાસ્ત્રમાં કહેલું છે, તે કઈ રીતે ઘટે ?
SR No.004345
Book TitleYogvinshika Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
AuthorYashovijay Gani, Kirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2007
Total Pages214
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy