________________ योगविंशिका प्रकरण सटीक, सानुवाद, गाथा-१८ भक्त्यनुष्ठानं वचनानुष्ठानं चेति त्रिभेदं तथाऽसङ्गतया युक्तं असङ्गानुष्ठानमित्येवं चतुर्विधं ज्ञेयम् / एतेषां भेदानामिदं स्वरूपम्-यत्रानुष्ठाने प्रयत्नातिशयोऽस्ति परमा च प्रीतिरुत्पद्यते शेषत्यागेन च यत्क्रियते तत्प्रीत्यनुष्ठानम् / आह च - “પત્રાવોfસ્ત પર: પ્રતિ હિતો પતિ તું શેષયાનેન રોતિ યશ તસ્વીત્યનુષ્ઠાનમ્ II" (પો. 20-3] एतत्तुल्यमप्यालम्बनीयस्य पूज्यत्वविशेषबुद्ध्या 'विशुद्धतरव्यापारं' भक्तत्यनुष्ठानम् / आह च - "गौरवविशेषयोगाद् बुद्धिमतो यद्विशुद्धतरयोगम् / ચિતરતુચષિ, સેવં તદ્ધનુષ્ઠાનમ્ II" [o20-4] प्रीतित्वभक्तित्वे संतोष्यपूज्यकृत्यकर्तव्यताज्ञानजनितहर्षगतौ जातिविशेषौ / आह च - "अत्यन्तवल्लभा खलु, पत्नी तद्वद्धिता च जननीति / તુરિ કૃત્વમનયોસ્કૃત શાસ્ત્રીતિમત્તાતમ્ II" [go. 20-1] . ભક્તિઅનુષ્ઠાન અને 3 - આગમ (વચન) અનુષ્ઠાનરૂપે ત્રણ પ્રકારે અને વધુમાં અસંગતાથી યુક્ત હોય તે 4 - અસંગાનુષ્ઠાન કહેવાય. આ રીતે ચાર પ્રકારનું અનુષ્ઠાન જાણવું. અનુષ્ઠાનના આ પ્રકારોનું સ્વરૂપ આ રીતે છે - 1 - પ્રીતિ અનુષ્ઠાનઃ જે અનુષ્ઠાનમાં 1 - ખૂબ પ્રયત્ન કરતો હોય, 2 - શ્રેષ્ઠ પ્રીતિ ઉત્પન્ન થતી હોય અને 3 - બીજાં બધાં કાર્યોને ગૌણ કરી એ અનુષ્ઠાનને જ મુખ્ય કરાતું હોય તે અનુષ્ઠાન પ્રીતિ-અનુષ્ઠાન' છે. પૂ. આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે ષોડશકમાં કહ્યું છે કે - જે અનુષ્ઠાનમાં અનુષ્ઠાન કરનારને - 1 - શ્રેષ્ઠ બહુમાન હોય, 2 - અનુષ્ઠાન કરનારના હિતનો ઉદય કરનાર પ્રીતિ હોય અને 3 - બીજા કાર્યોનો ત્યાગ કરીને તે અનુષ્ઠાન કરતો હોય તો તે અનુષ્ઠાન ‘પ્રીતિ-અનુષ્ઠાન' છે.” ષોડશક-૧૦-૩]. 2 - ભક્તિ અનુષ્ઠાન : પ્રીતિ-અનુષ્ઠાન જેવું જ છતાં પૂજ્યપણાની વિશિષ્ટ ઉચી બુદ્ધિ હોવાના કારણે વધારે વિશુદ્ધિવાળો વ્યાપાર તે (વિશુદ્ધ અનુષ્ઠાન કરવું તે) “ભક્તિ અનુષ્ઠાન છે. ષોડશકમાં કહ્યું છે કે - " બુદ્ધિશાળી આત્માનું બાહ્ય દેખાવે પ્રીતિ-અનુષ્ઠાન જેવું દેખાતું અનુષ્ઠાન પણ એમાં વિશિષ્ટ બહુમાનભાવ અને વધુ વિશુદ્ધિ રહેલી હોઈ “ભક્તિ અનુષ્ઠાન' છે એમ જાણવું.” [ષોડશક-૧૦-૪] પત્ની, નોકર આદિ આશ્રિત વર્ગ “સંતોષ” કહેવાય છે; એવા સંતોષવર્ગ પ્રત્યેનું કર્તવ્ય કરી લેવાના જ્ઞાનથી પ્રાપ્ત થતા આનંદને “પ્રીતિત્વજાતિ'નો આનંદ કહેવાય છે. - માતા, પિતા, વડીલો, ગુરુઓ ‘પૂજ્ય' કહેવાય છે; એવા પૂજ્યોની પૂજાનું કર્તવ્ય કરી લેવાના જ્ઞાનથી પ્રાપ્ત થતા આનંદને ‘ભક્તિત્વ જાતિ નો આનંદ કહેવાય છે. ષોડશકમાં કહ્યું છે કે “ખરેખર, જેમ પત્ની અત્યંત પ્રિય હોય છે; તેમ માતા હિતકારી હોય છે; તે બેયને માટે કરાતું કાર્ય ભોજન-વસ્ત્ર વગેરે આપવારૂપ સરખું હોવા છતાં પ્રીતિ અને ભક્તિના દાખલારૂપે (તે બંને જુદાં) જાણવાં.” (ષોડશક-૧૦-૫].