SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ योगविंशिका प्रकरण सटीक, सानुवाद, गाथा-१७ अव. अर्थमं प्रसक्तमर्थं संक्षिपन् प्रकृतं निगमयन्नाह - कयमित्थ पसंगेणं, ठाणाइसु जत्तसंगयाणं तु / हियमेयं विनेयं, सदणुट्ठाणत्तणेण तहा / / 17 / / મ0"ત્તિ 'i' પd સત્ર “Vફેન' પ્રરૂપી મળે મૃતાર્થવિસ્તારોન, ‘નારિ प्रदर्शितयोगभेदेषु 'यत्नसङ्गतानां तु' प्रयत्नवतामेव 'एतत्' चैत्यवन्दनाद्यनुष्ठानं हितं' मोक्षसाधकं विज्ञेयम्, चैत्यवन्दनगोचरस्थानादियोगस्य मोक्षहेतुत्वे तस्यापि तत्प्रयोजकत्वादिति भावः / 'तथा' इति प्रकारान्तरसमुचये / 'सदनुष्ठानत्वेन' योगपरिणामकृतपुण्यानुबन्धिपुण्यनिक्षेपाद्विशुद्धचित्तसंस्काररूपया प्रशान्तवाहितया सहितस्य चैत्यवन्दनादेः स्वातन्त्र्येणैव मोक्षहेतुत्वादिति भावः / प्रकारभेदोऽयं नयभेदकृत इति न कश्चिदोषः / / 17 / / અવ (સ્થાનાદિ યોગના અધિકારીની ચાલતી વાતમાં તીર્થોચ્છેદની શંકા ઉઠાવવામાં આવેલી તે) ઉત્પન્ન શંકાનો જવાબ પૂર્ણ કરીને હવે સ્થાનાદિ યોગ અંગે ચાલતી વાતનો ઉપસંહાર કરતાં કહે છે - ગાથા-૧૭ : પ્રાસંગિક વાતનો અવસર પૂર્ણ થયો. (હવે મૂળ વાત પર આવીએ) સ્થાનાદિ યોગોમાં પુરુષાર્થવાળાઓને ચૈત્યવંદનાદિ અનુષ્ઠાન હિતકારી છે. એમ જાણવું અને ચૈત્યવંદનાદિ અનુષ્ઠાન સ્વયં સદનુષ્ઠાનરૂપ હોઈ હિતકારી છે, - એમ જાણવું - 17. વ્યાખ્યાર્થ: (સ્થાનાદિ અંગે) કહેવાતી વાતની વચ્ચે સ્મૃતિમાં આવેલ વિષયનો વિસ્તાર કરવાથી હવે સર્યું. (હવે આ વિષય અહીં પૂરો થાય છે.) પૂર્વે કહેવાયેલા સ્થાનાદિ યોગના પ્રકારોમાં પ્રયત્નશીલ આત્માઓનું જ આ ચૈત્યવંદનાદિ અનુષ્ઠાન હિતકારી= મોક્ષસાધક જાણવું. કારણ કે, ચૈત્યવંદનાદિ અનુષ્ઠાનમાં રહેલા સ્થાનાદિ યોગો મોક્ષના હેતુ હોવાથી ચૈત્યવંદનાદિ અનુષ્ઠાન પણ મોક્ષનું પ્રયોજક છે. (મોક્ષને આપનાર છે.) ‘તથા' શબ્દ બીજો પ્રકાર બતાવવા માટે વાપર્યો છે. (એ બીજો પ્રકાર હવે બતાવે છે.) (ચૈત્યવંદનાદિ અનુષ્ઠાનવિષયક સ્થાનાદિ યોગો મોક્ષનું કારણ હોવાથી ચૈત્યવંદન પણ મોક્ષનું કારણ છે, એમ જણાવીને સ્થાનાદિ યોગ દ્વારા ચૈત્યવંદનને મોક્ષના કારણ તરીકે ઓળખાવ્યું હતું. હવે ચૈત્યવંદનાદિ અનુષ્ઠાન એ સ્વતંત્રપણે અનુષ્ઠાન હોઈ હિતકારી-મોક્ષદાયી છે એમ જણાવે છે. તે આ મુજબ છે :) યોગના ભાવથી કરાયેલો (ઉત્પન્ન થયેલો) પુણ્યાનુબંધી પુણ્યનો નિક્ષેપ (બંધ) થવાના કારણે વિશુદ્ધ થતા ચિત્તના સંસ્કારરૂપ એવી પ્રશાંતવાહિતાવાળાં ચૈત્યવંદનાદિ અનુષ્ઠાનો સ્વતંત્રપણે જ મોક્ષનાં કારણ છે. આ બંને પ્રકારો પાડવાનું કારણ અલગ અલગ નયની માન્યતા છે, માટે તેમાં કોઈ દોષ નથી. I/17 (પહેલા પ્રકારમાં સ્થાનાદિ અને ચૈત્યવંદનાદિમાં ભેદ (અનેકત્વ) માનતી ન વિચારણા છે. જ્યારે બીજા પ્રકારમાં સ્થાનાદિ અને ચૈત્યવંદનાદિમાં અભેદ (એકત્વ) માનતી નથવિચારણા છે. બંને વાતો અમુક અપેક્ષાથી કહેવાતી હોઈ આ રીતે ભેદ પાડવામાં કોઈ દોષ નથી, એ અહીં ભાવ છે.) તાત્પર્ય જે મૂળ વિષયનું વર્ણન ચાલતું હોય, તેમાં તેને અનુરૂપ જે યાદ આવે તેને પ્રસંગ' કહેવાય છે. અહીં સ્થાનાદિ યોગનું વર્ણન ચાલતું હતું, તેમાં વિધિ-અવિધિ વગેરેને લગતી જે વાત યાદ આવી તે પ્રાસંગિક કહેવાય. એનું વર્ણન ચૌદ, પંદર ને સોળમી ગાથામાં કરીને અહીં તેની પૂર્ણાહુતિ કરી છે.
SR No.004345
Book TitleYogvinshika Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
AuthorYashovijay Gani, Kirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2007
Total Pages214
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy