SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ અણમોલ ખજાનો શ્રતનો -પૂજ્ય મુનિરાજશ્રી અરવિન્ડવિજ્યજી મહારાજ સાહેબ. કલિકાલ સર્વજ્ઞ, આચાર્ય ભગવંત હેમચન્દ્રસૂરીશ્વજી મહારાજાનું સાહિત્ય એવડા મોટા વ્યાપમાં ફેલાયેલું છે કે, એનું માપ લેવું તે દરિયામાં દેટ મૂકવા જેવું દુષ્કર ગણાય. કલિકાલ સર્વશ્રીની એ સર્વજ્ઞતા-બધા વિષય પરના અધિકારિતાપૂર્ણ પ્રભુત્યનો આછેરે આભાસ આપી રહ્યા છે એમના કેડીબંધ ગ્રન્થઃ કેટ કેટલા વિષય પર કેટ કેટલા ગ્રંથે ! કાળના પ્રવાહમાં અને ખાસ કરીને તો રાજકીય અંધાધૂંધીના ગભર્યા વહે ણમાં તેઓ શ્રીમદના કેટલાય ગ્રન્થો નામ શેષ થઈ ગયા; છતાં અત્યારે જેટલું હેમસાહિત્ય ઉપલબ્ધ છે, તે પણ એટલું બધું વિસ્તૃત અને સર્વાગીણ છે કે તેનો અભ્યાસી તે તે ગ્રંથનું અવગાહન કરી તે તે વિષયને નિષ્ણાત બની શકે આ સાહિત્યને સુરક્ષિત રીતે સાચવીને આપણા સુધી પહોંચાડવા માટે એ યુગના શ્રાદ્ધવેએ જે ભગીરથ પુરુષાર્થ ખેડેલો, તે તેમની અણમેલ મૃતભક્તિની આછેરી ઝાંય દર્શાવી રહ્યો છે. આ ઉત્કટ શ્રતભક્તિએ જ અત્યારે ઉપલબ્ધ એવી હેમસાહિત્યની ગંગાને આપણા દ્વાર સુધી લાવી છે. પરમહંત કુમારપાળ મહારાજાના નિધન પછી, એમના અનુગામી ગૂર્જર શાસક તરીકે આવેલા અજયપાળે પોતાના પુરગામી પરના શ્રેષથી જ્યારે કુમારપાળનાં અમર સર્જન સમા ભવ્ય જિનમંદિરને અને ગ્રન્થાગારને નષ્ટ કરવા માંડ્યા ત્યારે સમય પારખુ, અગમચેતી શ્રાવકે રાતોરાત એ પવિત્ર ગ્રંથને પાટણથી જેસલમેર અને અન્ય સુરક્ષિત સ્થળોએ પહોંચાડી દીધાં. પાટણમાં પણ ભોંયરા વગેરેમાં અમુક ગ્રંથો સાચવ્યા. અલંકારની પેટીઓની સુરક્ષા કરતાં ય વધુ જાળવણી ગ્રન્થ પિટકેની એમણે કરેલી. ધન્ય છે એમની એ શ્રુતભક્તિને! એમની એ શ્રુતભક્તિ અને સમયસૂચકતાએ શ્રતનો આ અણમોલ ખજાને આપણું સુધી હેમખેમ પહોંચાડ્યો. હવે એ ખજાનાના દિવ્ય રત્નોને બહાર કાઢીને વિદ્વાનો અને અભ્યાસીઓના હાથમાં મૂકવાનું કામ અત્યારના શ્રુતભક્ત શ્રાદ્ધવએ કરવાનું છે અને એમ પિતાના પુરોગામીઓના પગલે પગલે ચાલવાનું છે.
SR No.004315
Book TitleDhatuparayanam
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherShahibag Girdharnagar Jain S M Sangh
Publication Year1979
Total Pages532
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy