SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ 61. જ્યારે જિનેશ્વર જન્મશે ત્યારે કેવલ પુષ્પજાતિનું મહત્ત્વ નહિ રહે પરંતુ સામાન્યને વિશેષ એમ બન્નેનું મહત્વ રહેશે. એમ જાણી વર્ષાકાળમાં જાઈના પુપે વિકસિત બન્યા, 62. ભગવાન બેવરાનીપણું સહિ નહિ શકે એટલે પહેલેથી જ અમે તેને નાશ કરી દઈએ એમ માની સોના ક્ષયમાં બંધાયેલા વિલાસવાળા ઉન્મત્ત બનેલા મયૂરે તે વખતે વર્ષો તુમાં ગર્જના કરવા લાગ્યા. 63. દ્વેષી અને જડને પ્રભુના દર્શન થશે નહિ. એમ જણાવતી જલાશાને નિર્મલ કરનારી હંસને બોલાવનારી –શરદઋતુ આવી. - 64. જોકે ભગવાનનું તેજ અસાધરણ થશે, તે પણ તેને સૂર્યની ઉપમા લોકો આપશે માટે સૂર્ય અધિક કિરણવાળે શરદ કાળમાં શોભવા લાગે. 65. આ પ્રભુને જન્મ થયા પછી તો બધાય ઉપાસના કરશે જ્યારે હું આ તીર્થકર ની ગર્ભથી જ ઉપાસના કરું એમ માની શરદઋતુમાં અગસ્ત તારાને ઉદય થયે. - 63 થી 65 66. સુર્વણ તથા કેતકી પત્ર જેવી સ્વાભાવિક અચિરાદેવીને ગર્ભના સંબંધથી કેશર વિલેપન વિના મુખ કમળ પીળું થયું 67. આ અચિરાદેવી સ્વભાવિક રીતે સુંદર તો હતી જ ને પટરાણી થવાથી અધિક સુંદર દેખાવવા લાગી આ ગભ વડે દષ્ટિ દોષ ના લાગે એટલા માટે જ જાણે તે વખતે બને સ્તન શ્યામમુખવાળા થયા. 68. ગર્ભ હોવા છતાં દેવીનું ઉદર વધ્યું નહિ તે પણ તે શોભાને પામવા લાગી, ગાલા પર્યન્ત શોભાવાળી મુખની પીળાશ તે ગર્ભને જણાવવા લાગી. 69. સ્વભાવથી જ મંદગતિવાલી તે હતી જ અને ગર્ભના ભારથી મદઝરતા શ્રેષ્ઠ હાથીની પ્રિયા-હાથણી ની જેમ અધિક મંદગતિવાલી થઈ 70. શરદ પછી મારાથી તેમાં અધિક જડતા આવે છે આ કલંક યશના નાશને હેતુ છે છતાં તમારા ચરણકમળના પ્રભાવથી તમારા યશને નાશ નહિ થાય તેને લગતી વિનંતિ કરવા માટે જ જાણે હેમંતઋતુ આવી. 71. જેમાં જિનેશ્વરને જન્મ થશે નહિ તે માટે ફગટ પ્રકાશ વડે શું! એમ દુઃખને ધારણ કરીને દિવસે દિવસે હેમંતકાલ દિવસોને નાના બનાવવા લાગ્યો. . 72. તે ત્રાતમાં દિવસ સરખે થાય છે. જ્યારે ભગવાન અમારા ટાઈમમાં જ જન્મ લેશે એમ માનતા રાત્રીએ નાની થઈ નહિ પણ તેઓ નવીન જ હર્ષવાળી થઈ 73. ભગવાનના જન્મ વખતે જે પુરુષમાં પવિત્ર અવસર પામીને અનુરાગ ન થાય તે પ્રશંશા પાત્ર ન બને. એમ લેકે હદયમાં વિચારી તેને અભ્યાસ પાડવા માટે હાથ પગના નખમાં લેપ કરવા લાગ્યા, 70 થી 73 74. તીર્થકરની માતાના મુખની કાંતિની સમાનતાને કમલ ધારણ કરી શકતું નથી. ને ભગવાનના નેત્રકમલ ચરણકમળને હસ્તકમળમાં આ ત્રણેની પણ કમળમાં સરખામણી નહિ હોવાથી ક્રોધથી શિશિર ઋતુએ તેને બાળી નાખ્યું.
SR No.004314
Book TitleShantinath Mahakavyam Part 03
Original Sutra AuthorN/A
AuthorVijaydarshansuri
PublisherNemidarshan Gyanshala
Publication Year1968
Total Pages452
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy