________________ ભ્રાંત ઉલ્લેખ અને તેનું નિરાકરણ મેટા ભાગનાં કેટલાએકનું એમ માનવું છે કે “સૂત્રજ દાઢ” અપનામ “Tહતરવાણી'ના રચયિતા પૂજ્ય મહામહોપાધ્યાય શ્રી ધર્મસાગરજી ગણિવર્ય છે. પરંતુ આ વાત ભ્રામક છે. કેમકે તેઓ આ ગ્રંથના કર્તા છે જ નહિ. એમણે પોતાના ગ્રંથમાં આ ગ્રંથની સાક્ષિઓ લીધી છે. જુઓ-ઔષ્ટ્રિકમતે પત્ર 1-2-3-4 વિગેરે તથા પ્રવચન પરીક્ષા પત્ર-૧૭૬ તતીયવિશ્રામમાં 59 મી ગાથાની વૃત્તિ વિગેરે. ગુરૂતપ્રદીપ ગ્રંથની રચનાનો સમયનિર્ણય આ “મુતરવાલી' નામક ગ્રંથના કર્તાના નામનો ઉલ્લેખ મળતો નથી. આ પત્તિવાળા ગ્રંથની રચના વિક્રમની 14 મી શતાબ્દીમાં થઈ છે. આ ગ્રંથમાં “fકરસિયા' મતનું ખંડન છે. અને તે મતની ઉત્પત્તિ સં. 1250 માં થઈ છે. તેથી સં. 12 50 પછી આ ગ્રંથની રચના થઈ છે. વળી સોમસુંદરસૂરિજીના સામ્રાજ્યમાં મુનિસુંદરસૂરિજીના શિષ્ય પંડિત હર્ષભૂષણકૃત * વિધિવિનિશ્ચય' નામના ગ્રંથમાં (આ ગ્રંથ અપ્રકાશિત છે) પણ આ ગ્રંથના એક શ્લોકની સાક્ષા આવે છે. જુએ–શું નહિ કનિત.” ઇત્યાદિ. આ કલેક ગુરૂતત્ત્વપ્રદીપના પ્રથમવિશ્રામમાં 21 મે લેક છે. જો કે ગુરૂતરવપ્રદીપમાં જે લેક છે તે અને શ્રાદ્ધવિધિવિનિશ્ચયમાં જે શ્લેક છે તેમાં થોડો ફરક છે, ગુરુતત્ત્વપ્રદીપમાં આ લેકનું ચતુર્થ ચરણ-વારે ત્રિરસુતિ મતગમય પ્રજ્ઞા ઘા મા આ પ્રમાણે છે. જ્યારે શ્રાદ્ધવિધિવિનિશ્ચયમાં “વ વિસ્તૃતિ શી નિમણે જાતા દાદીજાડઘણા” આ પ્રમાણે છે. છતાં પણ એ શ્લોક શ્રાવિધિવિનિશ્ચયકારનો નથી. કારણકેપોતે આ કલેકની શરૂઆત કરતાં પહેલાં “તથrદ’ આ પ્રમાણે લખે છે. અને પાના 44 ઉપર વિશ્વાશ તિવાન આ પ્રમાણે લખે છે. અત્ર વવના એ શબ્દ પ્રાયઃ અન્યરચિત કાદિની સાક્ષીમાં મુકાય છે. શ્રાવિાંધવિનિશ્ચયની રચના વિ. સં. 1480 ની છે. તેથી ગુરૂતવપ્રદીપની રચના 1480 ની પહેલાની છે. તે નિશ્ચિત છે. વળી આની રચના 14 મી શતાબ્દીની છે તે પૂજય ગ્રંથકાર સ્વયં આ ગ્રંથના 8 મા વિશ્રામના 14 મા “ઘતા શેકશીરવા’ શ્લેકમાં જણાવે છે કે-ગુરુશિષ્યના કમવાલું આગમાનુસાર - આ ચારિત્ર આચાર્ય શ્રી વિજયચંદ્રસૂરિજીના શિષ્ય આચાર્યશ્રી ક્ષેમકાર્તિસૂરિજી વિગેરેમાં છે (ાઓ 14 મા શ્લોકની વ્યાખ્યા ) આ ઉપરથી નક્કી થાય છે કે-ક્ષેમકત્તિ સૂરિજીના સમયમાં આ ગ્રંથકાર થયા છે. અને ક્ષેમકીર્તિસૂરિજી વિક્રમની 14 મી શતાબ્દીમાં થયા છે. શ્રી ક્ષેમકીર્તિસૂરિજીએ વિ. સં. ૧૩૩ર માં બહકલ્પસૂત્ર ઉપર વૃત્તિની રચના કરી છે. તેથી આ ગ્રંથકાર પણ તે સમયે વિદ્યમાન હતા એમ ફલિત થાય છે. તેથી આ ગ્રંથ પણ 14 મી શતાબ્દીને નક્કી થાય છે. તથા ગ્રંથકાર સ્વયં વિશ્રામ. 7 ના 25 ના લેકની વૃત્તિમાં જણાવે છે કે-થી વસ્તુપIઢ. શ્રી તેનાसाधुश्रीपेथड-साधुश्रीरत्नसिंहप्रभृतयोऽधुना-वर्तमानकाले तुर्यस्तुत्या-तुर्यस्तुतिबहुमानेन भं० श्रीवयंजलप्रभुतयश्च शासनप्रभावका अभूवन् / ' કે વસ્તુપાલ-તેજપાલ-સાધુશ્રી પેથડ-સાધુથી નસિંહ વિગેરે વર્તમાનકાલમાં ચતુર્થ સ્તુતિના બહુમાન કરવા વડે ભ. શ્રી વયજલ વિગેરે શાસનના પ્રભાવકે થયા. આ ગ્રંથની પ્રત પૂના (ભાંડારકર) છાણુ, અમદાવાદ, સુરત (જેન આનંદ પુસ્તકાલય) મામા, વડોદરા, વિગેરે સ્થલેએ છે.