SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ ८ ખેતરવાડી સુદ્ધાં કરવા તત્પર થયા. તેમ છતાં તેઓ પોતાને મહાવીરપ્રભુના વારસ ચેલાઓ તરીકે ઓળખાવી પોતાનું માન સાચવવા માંડ્યા. બીજી તરફ તેમના રાગી શ્રાવકો આંધળા બની તેમના પંજામાં સપડાઈ તેઓ જે કાંઈ ઊંધુંચત્તું સમજાવે તે બધું વગર વિચારે અને વગર તકરારે હા જી હા કરીને સ્વીકારવા લાગ્યા. કારણ કે, લોકોનો મુખ્ય ભાગ હંમેશાં ભોળો રહે છે. તેથી તેવા ભોળાઓને, કપટી વેષધારી ચૈત્યવાસિઓ અનેક બહાનાં ઊભા કરીને ઠગવા માંડ્યા. આવી ગડબડ થોડાજ વખતમાં બહુ વધી પડી. એટલે શ્રીદેવર્ધિગણિના પછી ૫૫ વર્ષે સ્વર્ગવાસી થયેલા શ્રીહરિભદ્રસૂરિજીએ મહાનિશીથનો ઉદ્ધાર કરતાં ચૈત્યવાસનો સારી રીતે તિરસ્કાર કર્યો છે. સદરહુ શ્રીહરિભદ્રસૂરિજી ચૈત્યવાસીઓના મંડળમાં દીક્ષિત થયા હતા છતાં ૫૨મવિદ્વાન્ હોવાથી તેમણે તેમના પક્ષનું ખૂબ ખંડન કર્યું છે. આ મામલો એટલા સુધી વધ્યો કે, નિગ્રંથ માર્ગ વિરલ પ્રાયઃ થઈ પડ્યો, નિર્ગંથ પ્રવચન પર તાળાં દેવાયાં અને કપોલકલ્પિત ગ્રંથો તેમની જગ્યાએ ઊભા કરવામાં આવ્યા, એટલું જ નહિ પણ સંવત્ ૮૦૨ની સાલમાં વનરાજ ચાવડાએ જ્યારે અણહિલપુર પાટણ વસાવ્યું, ત્યારે તેમના ચૈત્યવાસી ગુરુ શીલગુણસૂરિએ તેમની પાસેથી એવો રુક્કો લખાવી લીધો કે, આ રાજનગરમાં અમારા પક્ષના યતિઓ સિવાય વસતિવાસી સાધુઓને દાખલ થવા નહિ દેવા. તે રુક્કાને તોડવા માટે શ્રીઅભયદેવસૂરિજીના ગુરુ શ્રીજિનેશ્વરસૂરિજી તથા શ્રીબુદ્ધિસાગરસૂરિજીએ સં. ૧૦૮૪માં દુર્લભદેવની સભામાં ચૈત્યવાસીઓ સાથે વિવાદ કરી જય મેળવ્યો, ત્યારથી જ પાટણમાં વસતિવાસીઓની આવનજાવન શરૂ થઈ. આ રીતે ચૈત્યવાસીઓની પહેલી હાર શ્રીજિનેશ્વરસૂરિજીએ કરી, છતાં હજુ મારવાડમાં તેમનું ભારે જોર રહ્યું હતું. તે જોર તોડવા તેમના પ્રશિષ્ય શ્રીજિનવલ્લભસૂરિજી તૈયાર થયા. તેમણે આગમના પક્ષને અનુસરી પોતાની અદ્ભુત કવિત્વશક્તિના બળે યુક્તિપુરસ્કર તેમનું ખંડન કરવા માંડ્યું. તે પ્રસંગે તેમણે આ ‘સંઘપટ્ટક' નામનો ચાલીશ કાવ્યનો ઉત્તમ ગ્રંથ રચ્યો છે. એમાં તેમણે તે વખતે ચૈત્યવાસીઓનું કેવું જોર હતું, કેવી રીતે તેઓ સૂત્રવિરુદ્ધ પ્રવર્તતા હતા અને સુવિહિત મુનિઓ તરફ તેઓ કેવો દ્વેષભાવ રાખતા હતા, તે સઘળું આબેહૂબ દર્શાવીને તેમની સારી રીતે ઝાટકણી કાઢી વિધિમાર્ગના રાગીજનોને ઉત્તેજિત કર્યા છે. ત્યારબાદ તેમણે ચિત્તોડના મુખ્ય શ્રાવકોને પ્રતિબોધિત કર્યા. એટલે તે શ્રાવકોએ ત્યાં વીરપ્રભુનું વિધિચૈત્ય બંધાવ્યું, તે ચૈત્યના ગર્ભગૃહના દરવાજાના બે સ્તંભોમાં એક ઉ૫૨ આ સંઘપટ્ટકનાં ચાલીશ કાવ્ય અને બીજા સ્તંભ ઉપર તે જ આચાર્યે રચેલ ધર્મશિક્ષાનાં ચુમ્માલીશ કાવ્ય શિલાલેખમાં કોતરાવી તે ગ્રંથો શિલારૂઢ કરાવ્યા. તે ઉપરાંત છજામાં તે ચૈત્યમાં કેવી રીતે વર્તવું તે માટેના નિયમોનાં કાવ્યો પણ કોતરાવ્યાં છે. જેમાંનાં બે કાવ્ય આ પ્રમાણે છે : Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004215
Book TitleSanghpattak
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyag Gyan Pracharak Mandal
Publication Year2012
Total Pages262
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy