________________
૧૦ ર૩.
१०. श्रीनेमिनाथस्तोत्रसङ्ग्रहः નિઃસંગી, નિત્યતૃપ્ત, નિરંજન અને સદાનંદમય હોય તે પ્રભુ ! તું જ છે આવી ઉદાર દૃષ્ટિ દ્વારા સર્વ શુભતામાં પરમાત્માનું અસ્તિત્વ સ્વીકૃત કર્યું છે. (પદ્ય-૨૫) - ૨૨મું પદ્ય ધ્યાતા અને ધ્યાન બન્ને પરમધ્યેયમાં વિલીન થઈ જવાની વાત કરતા જણાવે છે કે-ધ્યાતાનું અસ્તિત્વ જ વિલીન થઈ જતું હોવાના કારણે બહિર્મુખ લોકો પરમના ધ્યાનમાં વિમુખ હોય છે.”
૨૨ અને ૨૪મું પદ્ય ધ્યેય-ધ્યાન અને ધ્યાતાની એકસ્વરૂપતા દર્શાવે છે. જ્યાં સુધી ત્રણેની ભિન્નતાની માન્યતા હોય ત્યાં સુધી મન ઉદાસીન પદ પર આસીન ન થઈ શકે.
નાથ ! ત્વતિનો નનાઃ સમસ્વાન્તા' (પદ્ય-૨૬) કહીને પરમના વેદનનું ફલોપદર્શન કરાવ્યું, સાથે એ પરમવેદન વિના તપ-જપ-વિનયશ્રુત આદિ નિરર્થક હોવાનું (પદ્ય-૨૭) જણાવીને પ્રસ્તુત સ્તવનું માહાત્મદર્શન કરાવે છે.–દે વિવાધીશ ! શ્રોત્રપયામૃત તત્ સ્તોત્ર : સુવૃતી ત્રિાનં પડે, : ત્વસ્વરુપવિત્ ભવેત્ ' (પદ્ય-૩૨)
પ્રસ્તુત સ્તોત્રના ૩જા પદ્યનો ભાવાનુવાદ એક ગુજરાતી સ્તવનમાં જોવા મળે છે.
'रागादिशत्रवो देव !, निर्जिता ये त्वया पुरा । ते एव तव वैरेण, मां बाधन्ते त्वदाश्रयम् ॥' ‘તુમથી ભાગ્યા લાગ્યા મુજ કેડ, ચિડુંગતિની કરાવે ખેડ, જાણી તુમચો દે મુજ માર, તો કિમ ન કરો પ્રભુજી સાર.” (ક્ષમાવિજયજીશિષ્ય યશોવિજયજીકૃત કુંથુનાથ જિનસ્તવન-૫)
સ્તોત્રમાં શરૂઆતની વિનંતિ છે–પ્રભો ! મને ઉપેક્ષો નહીં, જો મારી ઉપેક્ષા કરો છો તો આપની અમિત સુસ્વામિતા ક્યાં રહી?” (પદ્ય૪) આ વિનંતિ સાંભળીને જાણે સન્મુખ થયેલા પ્રભુ પાસે ભક્તકવિએ છેલ્લે માંગી લીધું – હે નાથ ! વિષયસુખોને ગોચર મારા સંકલ્પો સ્વલ્પ થઈ જાય એટલું કરી આપો.” (પદ્ય-૨૮)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org