SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ १) रैवतशैलमौलिश्रीनेमिजिनस्तवनम् - ૨૨ પદ્યમાં રચાયેલ અજ્ઞાતકર્તક આ સ્તવનમાં સરળભાષામાં ભવ્ય ભાવાભિવ્યક્તિ રહેલી છે. જે કર્તાની ઉદાત્ત મનોભાવનાઓને અભિવ્યંજિત કરે છે. પ્રથમ ચાર તથા અન્ય ૨૦, ૨૧મા પદ્યો ભક્તામર, રત્નાકરપચ્ચીશી કે વિતરાગસ્તોત્રના ભાવોનું ઉપજીવન લાગે છે. તેમાં દ્વિતીયપદ્યમાં પ્રયોજિત “જ્યોટિfમ:' પદ પરમાત્માની ગુણસંસ્તવના પ્રતિ વાચસ્પતિના સામર્થ્યને અત્યંત હીન બનાવે છે. પાંચમાં પદ્યમાં અરિહંત' શબ્દના ત્રણ અર્થો આપ્યા છે. “સર્વપૂનાનાં –ાત્ (ગર્ણન), कर्मारिहननाद् (अरिहन्), पुनर्भवाप्ररोहत्वात् (अरुहन्).' પદ્ય ૬થી ૧૪ સુધીમાં અન્ય દર્શનીયો સ્વ આરાધ્યદેવોના જે-જે સ્વરૂપને માને છે. તે તે સર્વનું સ્વરૂપ પરમાત્મામાં ઘટાવીને તે બૌદ્ધો, સાંખ્યો વગેરે આપને જ આરાધે છે એ દર્શાવ્યું છે. અન્યધર્મનાં પ્રસિદ્ધ દેવોના નામથી પરમાત્મહુતિ પરંપરાનું મૂળ ઠેઠ “પરમવ”િ (૨. સં. ૬૦)માં પ્રાપ્ત થાય છે. જે પરંપરા અહીં પણ ઉતરી આવી છે. “પ્રભુ ! તારા જિહાગ્રે વાઝેવી વસે છે. તારા લોચનાંચલે કમલા (લક્ષ્મી) વસે છે. નવ ગ્રહો તારી ચરણોપાસના કરે છે. દેવ-દાનવો તારા કિંકર છે. તાત્વિક રીતે તારામાં જ દેવત્વના લક્ષણો ઘટમાન હોવાથી તું જ સર્વ દર્શનીઓને માન્ય છે. ત્રણે જગતમાં અન્ય કોઈપણ પરમેશ્વર નથી.” ભક્તકવિએ ૧પથી ૧૭ પદ્યોમાં આ ભાવ પ્રગટ કર્યો છે. અહીં પરમાત્માનું સર્વસદશ દર્શાવીને પણ અનન્ય સાદગ્ધ વર્ણવ્યું છે. ૧૮-૧૯મું પદ્ય પરમાત્મ પ્રતિની અનન્ય શ્રદ્ધા દર્શાવે છે. તો ‘મહં તું દૃન્ત' (૨૦મું) પદ્ય સંપૂર્ણતયા રત્નાકરપંચવિશિકાના પાંચમાં પદ્યનું ઉપજીવન છે. ૨૧માં પદ્યમાં શરણાગતભાવની પ્રકૃષ્ટતા દર્શાવી છે. અંતે સ્તોત્ર સમાપન કરતા કવિ પરમાત્માને શિખામણ આપે છે. 'याञ्चावाक्यकदर्थनां तु सहते नैवार्थिनामुत्तमः' Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004154
Book TitleNeminath Stotra Sangraha
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages360
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy