________________
३५) नेमिनाथस्तवनम्
હંસચંદ્રજીના શિષ્ય ‘મળ્યુંન' (મુનિ કે ગૃહસ્થ) દ્વારા આ કૃતિ વિ.સં. ૧૬૩૫ વૈશાખ સુદ-૧૫ના દિવસે રચાઈ છે.
૬ પદ્યમાં ઢાળેલું આ સ્તવન અત્યંત સરળ સંસ્કૃત ભાષામાં છે. કવિશ્રીએ રચનામાં કેટલીક ભાષાકીય શિથિલતાઓ સ્વીકારી છે. સાથે, અન્ય પદ્ય મંદાક્રાન્તામાં યતિ જાળવી નથી. આ વસ્તુસ્થિતિ પરથી એવું અનુમાન થાય કે કવિશ્રી સંસ્કૃતભાષાના પ્રાથમિક અભ્યાસુ હશે ત્યારે આ કૃતિની રચના કરી હશે.
તેઓશ્રીની અન્યકૃતિ ‘શત્રુાયમન્ડનઞાતિનાથસ્તવન' છે. જે ઉક્ત સ્તવનની સાથે એ જ હસ્તપ્રતમાં છે. ૬ પદ્યમય આ સ્તવન પણ ભાષા વગેરે દૃષ્ટિએ નેમિનાથ સ્તવનની સમાન જ છે. આ સ્તવન પરિશિષ્ટમાં આપેલું છે.
जयोग्रादिजम्बालिनीनाथपुत्रं, शमज्ञं पराभूतदैत्यारिपुत्रम् । विभक्त्यादियुक्त्या हितार्थप्रवादं,
जगत्तारकं नौमि धौतप्रमादम् ||१|| [भुजङ्गप्रयातम्] कृताराधनं देववृन्दैश्च धीरं, महानन्ददं प्राप्तसंसारतीरम् । शरच्चन्द्रसौम्यं जिताम्भोदनादं जगत्तारकं नौमि धौतप्रमादम् ॥२॥ सहर्षालिसन्दोहजीमूतभासं, विलोभं विमानं कृतक्रोधनाशम् । सुरक्ताङ्कवाल्हीकमाञ्जिष्टपादं जगत्तारकं नौमि धौतप्रमादम् ||३||
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org