SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦, * सप्तभङ्गीनयप्रदीप "निःशेषांशजुषां प्रमाणविषयीभूयं समासेदुषां वस्तूनां नियतांशकल्पनपराः सप्त श्रुताऽऽसङ्गिनः । औदासीन्यपरायणास्तदपरे चांशे भवेयुर्नयाश्चेदेकान्तकलङ्कपङ्ककलुषास्ते स्युस्तदा दुर्नयाः" ॥१॥ “અહો ! ચિત્ર ચિત્ર તવ ચરિતક્ષેતન્મનિપજો ! स्वकीयानामेषां विविधविषयव्याप्तिवशिनाम् । .....................+ ગુણસૌમ્યા હાલ, સુવર્ણરૂપે રહેલી અભિન્નતાને જાણવા-જણાવવાનું કોઈ પ્રયોજન ન હોવાથી ભલે ગૌણ કરાય, પણ જો એ બીજા અંશનો અપલાપ કરવામાં આવે અને “વિવક્ષિત એક જ અંશ સાચો છે એવું એકાંતપૂર્વક કહેવામાં આવે, તો તે “નયાભાસ' કહેવાય છે. * * એકાંતે જે વસ્તુનું સ્વરૂપ કહેવાય છે, તેવું વસ્તુનું સ્વરૂપ હોતું જ નથી અને છતાં તેનું પ્રતિપાદન કરનારો નય, હકીકતમાં નય ન રહેતાં નયાભાસ (નયના ઉપરછલ્લા દેખાવરૂપ) બને છે. (૩૫) આ વિશે પંચાલતુ નામના ગ્રંથમાં કહ્યું છે કે – બધા અંશોથી યુક્ત એવા અને શ્રુતનામના પ્રમાણના વિષયભાવને (= શેયભાવને) પામેલા એવા સમસ્ત પદાર્થોના વિવક્ષિત (પ્રયોજનભૂત) એવા કોઈપણ એક નિયત અંશને સમજાવવામાં તત્પર, અને બીજા અંશ તરફ ઉદાસીનતામાં પરાયણ એવા શ્રુતજ્ઞાનના સંબંધવાળા કુળ સાત નયો છે, તે જ નયો જ્યારે એકાંતવાદના કલંકરૂપી કાદવથી કલુષિત બને, ત્યારે તેઓ “દુર્નય” થાય છે.” વળી સ્તુતિઢાત્રિશત્ ગ્રંથમાં કહ્યું છે કે - “જિનેશ્વર પ્રભુ! આપશ્રીનું ચરિત્ર ખરેખર “અહો! આશ્ચર્ય કરાવનારું છે. પોતપોતાના જુદા જુદા નિયત વિષયોનું જ સમર્થન કરવામાં તત્પર બનેલા એવા આ નયો, જો પોતે વિપક્ષની (= બીજા નયોની) અપેક્ષા રાખે, તો જ તેઓની આપ “સુનયતા' કહો છો. અને જો વિપક્ષનો (= બીજા નયોનો) તિરસ્કાર કરે, તો તે જ નયોની આપ “દુર્નયતા' કહો છો.” તાત્પર્ય : સંસારમાં એવો નિયમ છે કે વિવિધ એવા પોતાના વિષયનું (= દેશોનું) રાજયપાલન કરવામાં તન્મય બનેલા રાજાઓ અને સૈનિકો, જો વિપક્ષની = શત્રુરાજાની અપેક્ષા રાખે (અર્થાત્ તેમને આધીન રહે), તો તેઓ દુષ્ટ કહેવાય. અને વિપક્ષનો = શત્રુરાજાનો પ્રતિક્ષેપ-પરાજય કરે, તો તે સુરાજા અને સુસૈન્ય કહેવાય. જ્યારે હે પ્રભુ ! આપશ્રીને ત્યાં પરની અપેક્ષા રાખે તો સુનય અને પરની અપેક્ષા ન રાખે (અર્થાત્ તેનો તિરસ્કાર કરે) તો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004070
Book TitleSaptabhangi Nayapradip
Original Sutra AuthorN/A
AuthorYashovijay Upadhyay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year
Total Pages280
LanguageHindi, Gujarati, English
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy