SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ + सप्तभङ्गीनयप्रदीपः + धर्माभ्युपगमेनानन्तभङ्गीप्रसङ्गादसङ्गतैव सप्तभङ्गीति न चेतसि निधेयम् ॥३७॥ विधिप्रतिषेधप्रकारापेक्षया प्रतिपर्यायं वस्तुन्यनन्तानामपि सप्तभङ्गीनामेव सम्भवात् ॥३८॥ (३०) प्रतिपर्यायं प्रतिपाद्यपर्यनुयोगानां सप्तानामेव सम्भवात् " ॥ ३९॥ इति । · ગુણસૌમ્યા+ “એક વસ્તુમાં વિધાન કરાતા અને નિષેધ કરાતા એવા અનંત ધર્મો (જૈનોએ) સ્વીકારેલા હોવાથી, અનંતભંગીનો પ્રસંગ આવશે ! એટલે આ કહેલી સમભંગી અસંગત જ છે - આવું મનમાં લેશમાત્ર પણ ન વિચારવું, કારણ કે એકેક પર્યાયને (= ધર્મને) આશ્રયીને વિધાન અને નિષેધના પ્રકારની અપેક્ષાએ અમે ઉપર જણાવી ગયા તેમ વસ્તુમાં અનંતી પણ સમભંગીઓ જ થઇ શકે છે (અનંતભંગીઓ નહીં.)’ (પ્રમાણનયતત્ત્વાલોકાલંકાર ૪-૩૭/૩૮) ૩૦ * ભાંગા સાત હોવાનું કારણ (૩૦) પ્રશ્ન ઃ ચાવસ્તિ, સ્યાત્રાસ્તિ ઇત્યાદિ ભાંગાઓ માત્ર સાત જ કેમ ? ઉત્તર ઃ કારણ કે શ્રોતાના મનમાં (૧) શું જીવ અસ્તિ છે ? (૨) શું જીવ નાસ્તિ છે ?... એવા સાત જ પ્રશ્નો થતા હોવાથી તેના જવાબરૂપ ભાંગાઓ પણ સાત જ થાય. પ્રશ્ન : પણ શ્રોતાઓના મનમાં પણ સાત જ પ્રશ્ન થાય - એવું કેમ ? ઉત્તર : જુઓ-પ્રશ્નો જીજ્ઞાસાથી ઊભા થાય છે. (જાણવાની ઇચ્છા હોય તો પ્રશ્નો થાય.) હવે શ્રોતાઓને સાત પ્રકારની જ જીજ્ઞાસા થાય છે અને તેથી તેનાં કારણે પૂછાતા પ્રશ્નો પણ સાત જ થાય. પ્રશ્ન : જીજ્ઞાસા પણ સાત જ થવાનું શું કારણ ? ઉત્તર ઃ કારણ એ જ કે, શ્રોતાઓના મનમાં સાત પ્રકારનો જ સંદેહ (= શંકા) ઉત્પન્ન થાય છે. અને સંદેહ પણ સાત જ પ્રકારે થવાનું કારણ એ કે, સંદેહના વિષયભૂત એવા પદાર્થના ધર્મો પણ સાત જ પ્રકારે છે. તાત્પર્ય : (૧) અસ્તિત્વ, (૨) નાસ્તિત્વ, (૩) ક્રમશઃ અસ્તિત્વ-નાસ્તિત્વ, (૪) અવાચ્યત્વ, (૫) અસ્તિ-અવાચ્યત્વ, (૬) નાસ્તિ-અવાચ્યત્વ, અને (૭) અસ્તિ-નાસ્તિઅવાચ્યત્વ - આમ વસ્તુના ધર્મો સાત જ છે અને તેથી તે વિશે થનારા સંદેહો પણ સાત જ રહે. આ પ્રમાણે (૧) વસ્તુધર્મો સાત હોવાથી સંદેહ સાત થાય, અને (૨) સંદેહ સાત થવાથી જીજ્ઞાસા સાત ઉઠે, (૩) જીજ્ઞાસા સાત ઉઠવાથી પ્રશ્નો સાત પૂછાય, અને (૪) પ્રશ્નો સાત પૂછાવાથી તેના ઉત્તરરૂપે ભાંગા પણ સાત જ થાય - એમ સિદ્ધ થયું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004070
Book TitleSaptabhangi Nayapradip
Original Sutra AuthorN/A
AuthorYashovijay Upadhyay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year
Total Pages280
LanguageHindi, Gujarati, English
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy