SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ( ગ્રંથોને વલોવીને મળેલું નવનીત તેમણે આ ગ્રંથમાં પીરસ્યું છે. આ ગ્રંથ તેમણે કરેલી છે . તે અનેક ગ્રંથોની અવગાહના અને તેમની અનુપ્રેક્ષાની સાક્ષી પૂરે છે. સૂર્ય બધે પ્રકાશ આપે છે. પણ બારી વિનાના અંધારા ઓરડામાં કે અંધારી * ગુફામાં જયાં સૂર્ય પહોંચી શકતો નથી ત્યાં દીવો ઉપયોગી બને છે. ત્યાં દીવો પોતાનો પ્રકાશ ફેલાવી વસ્તુઓનું જ્ઞાન કરાવે છે. પ્રભુનું જ્ઞાન સૂર્યપ્રકાશની જેમ બધાને જ્ઞાનનો પ્રકાશ આપે છે. પણ આપણે અંધારા ઓરડા જેવા છીએ. એટલે ગ્રંથકારશ્રીએ દીવા સમાન આ ગ્રંથની રચના કરી સપ્તભંગી અને નયો સંબંધી આપણા અજ્ઞાનને દૂર કરી તેમનું સાચું સ્વરૂપ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તેથી જ આ ગ્રંથનું તેમણે સપ્તભંગીન પ્રદીપ’ એવું યથાર્થ નામ રાખ્યું છે. ગ્રંથકાર જ સપ્તભંગીનયપ્રદીપ’ નામના પ્રસ્તુત ગ્રંથની રચના જેમનું વચન જિનશાસનમાં ટંકશાળી ગણાય છે એવા મહોપાધ્યાયશ્રી યશોવિજયજી ગણિવર્યએ કરેલ છે. શ્રીહીરસૂરીશ્વરજી મહારાજાની ચોથી પેઢીએ મહોપાધ્યાયશ્રી નવિજયજી થયા. તેમના શિષ્યરત્ન મહોપાધ્યાયશ્રી યશોવિજયજી થયા. તેઓ આજથી લગભગ ત્રણસો વર્ષ પૂર્વે થયા. તેઓ પંન્યાસશ્રી સત્યવિજયજી ગણિવર, યોગીરાજશ્રી આનંદઘનજી મહારાજ, મહોપાધ્યાયશ્રી વિનયવિજયજી ગણિવરના સમકાલીન હતા. તેમણે સ્વદર્શનના અભ્યાસ ઉપરાંત કાશી જઇને પરદર્શનોનો સાંગોપાંગ અભ્યાસ કર્યો હતો. તેમણે અનેક સભાઓમાં વિજય મેળવ્યો હોવાથી તેમને “ન્યાયવિશારદ'નું બિરુદ અપાયું. તેમણે ન્યાયના સો ગ્રંથોની રચના કરી હોવાથી અન્યદર્શનના વિદ્વાનોએ તેમને “ન્યાયાચાર્યનું બિરુદ આપ્યું. કુશાગ્રબુદ્ધિના સ્વામી અને ષડ્રદર્શનમાં પ્રવીણ હોવાથી તેઓ ‘લઘુહરિભદ્ર' તરીકે પણ ઓળખાય છે. તેઓ વ્યાકરણશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર ઉપરાંત આગમશાસ્ત્રોના પણ ખૂબ સારા જાણકાર હતા. તેથી જ તેમના ગ્રંથોમાં ઠેર ઠેર ચર્ચાતા વિષયો સંબંધી આગમોના સાક્ષીપાઠો તેમણે આપ્યા છે. તેઓને સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતી ભાષાઓનું ઘણું સારું જ્ઞાન હતું. તેથી જ તેમણે આ ત્રણે ભાષાઓમાં ગ્રંથોની રચના કરી છે. તેમના ગ્રંથોમાં નિશ્ચય અને વ્યવહાર બન્નેનો સમન્વય જોવા મળે છે. તેમના ગ્રંથો સાદી અને સરળ ભાષામાં રચાયા હોવા છતાં ગૂઢ અને ગંભીર અર્થવાળા હોય છે. તેથી જ તેમના ગ્રંથો ખૂબ ચિંતન-મનન પૂર્વક કહ્યું - વાંચવા યોગ્ય છે. તેઓએ નબન્યાયનો પણ સારો અભ્યાસ કરેલો. તેમના અમુક એ લિ ગ્રંથો નબન્યાયની શૈલીમાં પણ રચાયા છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004070
Book TitleSaptabhangi Nayapradip
Original Sutra AuthorN/A
AuthorYashovijay Upadhyay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year
Total Pages280
LanguageHindi, Gujarati, English
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy