SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ હૃw * सप्तभङ्गीनयप्रदीपः पर्याये द्रव्योपचार: ८, पर्याये गुणोपचार: ९; (१०५) सर्वोऽप्यसद्भूतव्यवहारस्यार्थो द्रष्टव्यः, अत एवोपचार: पृथग् नयो न भवतीति । मुख्याभावे सति प्रयोजने निमित्ते चोपचारः प्रवर्तते । (१०६) सोऽपि सम्बन्धोऽविनाभावः, संश्रलेषसम्बन्धः, परिणाम ...+ગુણસૌમ્યા+. (૯) પર્યાયમાં ગુણનો ઉપચાર : શરીરથી ઉત્પન્ન થનારું મતિજ્ઞાન છે, માટે કારણમાં કાર્યનો ઉપચાર કરીને શરીરને જ મતિજ્ઞાનરૂપે કહેવું - એ શરીરરૂપ પગલપર્યાયમાં મતિજ્ઞાનરૂપ આત્મગુણનો ઉપચાર હોવાથી પર્યાયમાં ગુણનો ઉપચાર છે. આ પ્રમાણે નવ પ્રકારના ઉપચાર કહ્યા. (૧૦૫) આ નવે પ્રકારના ઉપચારો, અસદ્દભૂત વ્યવહારનો જ વિષય સમજવો. એટલે જ “ઉપચાર” નામનો કોઈ જુદો નય નથી હોતો. આશય એ કે, પરપરિણતિ ભળી જવાના કારણે ‘દ્રવ્યમાં દ્રવ્યનો, ગુણમાં ગુણનો...” વગેરે નવવિધ ઉપચારથી જે વચનપ્રયોગો થાય છે, એ અસભૂત વ્યવહાર કહેવાય છે. એટલે ઉપચારવચનો અસભૂતવ્યવહારરૂપ જ છે. માટે એ ઉપચારને જુદા નય તરીકે નથી મનાતો. આ ઉપચાર ક્યારે કરવો પડે? એ જણાવે છે – મુરામાં સતિ પ્રયોગને નિમિત્તે વાપવીર: પ્રવર્તતા અર્થાતુ, જ્યારે મુખ્ય અર્થ ન ઘટતો હોય ત્યારે ચોક્કસ પ્રયોજન કે નિમિત્તને લઇને તેવો ઉપચાર પ્રવર્તે છે. જેમકે - “હું ગોરો છું. અહીં મુખ્ય અર્થ નથી ઘટતો. કારણ કે “” તરીકે આત્મદ્રવ્ય લીધું છે અને એ તો અરૂપી છે, એ ગોરું કેવી રીતે હોઈ શકે? એટલે અહીં વ્યવહારિક પ્રયોગની સંગતિ માટે, આત્મદ્રવ્યમાં પુદ્ગલગુણનો ઉપચાર કર્યો છે. આમ દરેક પ્રકારનો ઉપચાર, મુખ્ય અર્થ ન ઘટે ત્યારે કરાય છે. અને એ પણ ચોક્કસ પ્રયોજન કે નિમિત્તને લઇને કરાય છે, એમ સમજવું. (૧૦૬) હવે કયા સંબંધોને લઇને દ્રવ્ય-પર્યાય વગેરેમાં ઉપચાર કરાય છે, એ સંબંધો જણાવે છે – એ સંબંધ પણ (૧) અવિનાભાવસંબંધ, (૨) સંશ્લેષસંબંધ, (૩) પરિણામ-પરિણામસંબંધ, (૪) શ્રદ્ધા-શ્રદ્ધયસંબંધ, (૫) જ્ઞાન-શેયસંબંધ વગેરરૂપ સમજવો. આ બધા સંબંધોને આપણે ઉદાહરણ સાથે સમજીએ - (૧) અવિનાભાવસંબંધઃ કાળાં વાદળાંને આવેલાં જોઇને ‘વરસાદ આવ્યો’ એવું જે કહેવાય છે, ત્યાં અવિનાભાવસંબંધ સમજવો... કારણ કે કાળાં વાદળાંનું આવવું અને વરસાદનું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004070
Book TitleSaptabhangi Nayapradip
Original Sutra AuthorN/A
AuthorYashovijay Upadhyay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year
Total Pages280
LanguageHindi, Gujarati, English
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy