SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ + सप्तभङ्गीनयप्रदीपः ** ચાર્વાવર્ગનમ્' કૃતિ [ પ્રમા॰ પરિ॰ ૭ સૂત્રમ્-૨૬ ] नास्तिको हि जीवद्रव्यादिर्नाभिमन्यते, स्थूलदृष्ट्या च भूतचतुष्टयं यावद्दृष्टिगोचरमिति स्वकल्पितत्वेनातथात्वाद् व्यवहाराभासमिति ॥ (१०१) अथ कतिपयमन्यतो लिख्यते - भेदोपचारतया वस्तु व्यवह्नियत इति ગુણસૌમ્યા સૂત્રાર્થ : વળી જે અભિપ્રાય દ્રવ્ય અને પર્યાયના વિભાગને અપારમાર્થિક (અર્થાત્ કલ્પનાકૃત) સ્વીકારે તે વ્યવહારાભાસ છે. જેમકે - ચાર્વાકદર્શન. (૭-૨૫/૨૬) વિવેચન : “દ્રવ્ય અને પર્યાયોનો વિભાગ માત્ર કલ્પનાકૃત છે. ધર્મ-અધર્મ, આકાશાદિ દ્રવ્યોના વિભાગો મિથ્યા છે. પર્યાયોના ક્રમભાવી-અક્રમભાવી વિભાગ પણ અપારમાર્થિક છે” – એવું બધું જે માને, તે આશયવિશેષ વ્યવહારનયાભાસ. - જેમકે – ચાર્વાકદર્શન. ચાર્વાકદર્શન નાસ્તિક છે. નાસ્તિકો જીવદ્રવ્ય વગેરેને માનતા નથી. અને આંખે દેખાતાં પૃથ્વી, અપ્, તેજો અને વાયુરૂપ ચાર ભૂતોને (= પદાર્થોને) પણ માત્ર સ્થૂલદૃષ્ટિથી (= અપારમાર્થિક દૃષ્ટિથી) માને છે. આમ તેઓની વિચારણા માત્ર પોતાની કલ્પનાકૃત હોવાથી અયથાર્થ છે અને એટલે જ તેઓનો અભિપ્રાય વ્યવહાર ન રહેતાં વ્યવહા૨ાભાસ બને છે. આશય : ચાર્વાક દર્શનના અનુયાયીઓ, “પ્રત્યક્ષાદિ બધા પ્રમાણોથી સિદ્ધ થયેલો જીવ, તેના પર્યાયો, ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાય વગેરે દ્રવ્યો, અને તેના વિભાગો’” આ બધું માત્ર કલ્પનાકૃત છે – એવું કહે છે. અને ભૂતચતુષ્ટયનો વિભાગ પણ સ્થૂલ લોકવ્યવહારને અનુસરવા પૂરતો જ માને છે. ૫૨માર્થથી તો તેઓને પણ તુચ્છ-કાલ્પનિક જ માને છે. આ પ્રમાણે ચાર્વાક બધાનો અપલાપ કરે છે, એટલે એ વ્યવહારાભાસ કહેવાય છે. (૧૦૧) આ પ્રમાણે વ્યવહારનય અને તેના આભાસનું નિરૂપણ કરીને, હવે બીજા (= નયચક્ર, આલાપપદ્ધતિ વગેરે) ગ્રંથમાં જે વ્યવહારનું વર્ણન છે, તેને જણાવતાં ગ્રંથકારશ્રી કહે છે - * વ્યવહારનયનું વિશદ વર્ણન લક્ષણ : મેવોપન્નારતયા વસ્તુ વ્યવહ્રિયતે કૃતિ વ્યવહાર: II અર્થ : ભેદ અને ઉપચાર કરવા દ્વારા વસ્તુનો વ્યવહાર કરવો, તે વ્યવહારનય. વિવેચન : ધર્મ-ધર્મીનો ભેદ પાડીને કે ભેદનો ઉપચાર કરીને, વસ્તુનો જે વ્યવહાર કરે, તે વ્યવહારનય સમજવો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004070
Book TitleSaptabhangi Nayapradip
Original Sutra AuthorN/A
AuthorYashovijay Upadhyay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year
Total Pages280
LanguageHindi, Gujarati, English
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy