SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ४३ તેને યોગ્ય સમયે જણાવવાનું કહે છે. પછી બીજીવાર પૂછે છે ત્યારે મંત્રી હકીકત જણાવે છે એવી પ્રરૂપણા છે, પરંતુ ત્યાં પ્રથમવારમાં ન જણાવાનું કે બીજી વારમાં જણાવે છે ત્યારે યોગ્ય સમય કેવી રીતે પાક્યો ? તે જણાવાયું નથી. મંગલકલશ લગ્ન બાદ મંત્રીના ઘરે આવે છે ત્યારે મંત્રીના દાસ-દાસીઓ અંદરો અંદર વાત કરતા હોય છે કે–‘આ પરદેશી પુરુષ હજી કેમ નીકળી જતો નથી ?’ અહીં એ વાત મંગલકલશના કાને પડે છે. તેવું સ્પષ્ટ નિરુપણ નથી. છતાં આ પ્રરૂપણા જે અવસરે કરી છે તેના પરથી માની શકાય કે મંગલકલશે આ વાતો સાંભળી હશે. -> ત્રૈલોકયસુંદરીએ ઈંગિત-આકારથી પોતાના પતિનું ચિત્ત ચલાયમાન છે એમ જાણી લીધું. અને તે કા૨ણે જ તે પતિને એકલા છોડતી નથી. •> સંધ્યાકાલે મંત્રીના અંગત માણસોએ મંગલકલશને જવાની પ્રેરણા કરી. અહીં પ્રેરણા ઈશારાથી કરી કે પોતાની વાતચિતો સંભળાવવા દ્વારા કરી કે પછી પોતે અંદર જઈને કાનમાં કહ્યું ? તેનો કોઈ ખુલાશો કર્યો નથી. મંત્રીએ જ્યારે ‘ત્રૈલોકયસુંદરી સાથે વિવાહ કરવાને કારણે મારો પુત્ર કોઢી થઈ ગયો.’ એવી વાત કરી ત્યારે પૂર્વોક્ત કથામાં રાજા અત્યંત આવેશમાં આવીને ત્રૈલોકયસુંદરીને નજર સમક્ષ પણ ન લાવવાનો આદેશ કરે છે. જ્યારે અહીં રાજાની વિચારણા દર્શાવાઈ છે કે ‘મંત્રીપુત્ર તો પોતાના અશુભ કર્મના ઉદયે કોઢી થયો છે, જગતમાં સર્વ પોતા પોતાના કર્મ ભોગવે છે એ નિશ્ચય નય છે, પરંતુ વ્યવહાર સુખદુઃખના નિમિત્તને આગળ કરે છે. તેથી મારી પુત્રી દોષ પાત્ર છે.’ ત્યારે ત્રૈલોકચસુંદરી રાજા અને પરિજનોને અનિષ્ટ થઈ ગઈ. અહીં તુરંત આક્રોશમાં આવીને આજ્ઞા કરવાને બદલે વર્ણવાયેલી વિચારણા રાજાની પીઢતા સૂચવે છે. •> સિંહસામંતે ત્રૈલોચસુંદરી સાથે એકવાર વાર્તાલાપ કરવાની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004056
Book TitleMangal Kalash Charitra Sangraha
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherVijay Kanaksuri Prachin Granthmala
Publication Year2013
Total Pages324
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy