SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦૭માં સર્ગ-૬, શ્લોક-૪૮૯૦ પ્રમાણ “શ્રી શાંતિનાથચરિત્રની રચના કરી છે. તેના પ્રથમ સર્ગમાં શ્લોક ૬૬થી ૩૦૪ સુધી આ કથા વિમલબોધ નામના આચાર્ય ભગવંત શ્રીષેણ રાજા (શાંતિનાથ પરમાત્માનો પ્રથમભવ) ને ધર્મ આરાધનાનું ફળ દર્શાવતા દૃષ્ટાંત રૂપે કહે છે. અનુષ્ટ્રભ છંદો બદ્ધ આ કથા ખૂબ જ સરળભાષામાં નિરુપાયેલી છે. કથા ઘટકો તથા શબ્દ રચના વગેરે દૃષ્ટિએ ઘણા પરવર્તીઓ અજિતપ્રભસૂરિજીને અનુસર્યા છે. જેની વિચારણા કથાસારમાં કરશું. (૫) બૃહદ્ ગચ્છીય મુનિચંદ્રસૂરિજી > દેવસૂરિજી > ભદ્રેશ્વરસૂરિજી > અભયદેવસૂરિજી > મદનચંદ્રસૂરિજીના શિષ્ય મુનિદેવસૂરિજીએ વિ.સં. ૧૩૨૨માં સર્ગ-૭, ગ્રંથાગ્ર-૪૮૫૫ પ્રમાણ શ્રી શાંતિનાથ ચરિત્ર રચ્યું છે, પ્રદ્યુમ્નસૂરિજી દ્વારા સંશોધિત (સં. ૧૩૨૨) આ ચરિત્ર દેવચંદ્રસૂરિજીકૃત સંતિનાચરિયના આધારે રચાયું છે. આથી મુનિદેવસૂરિજીએ પ્રત્યેક સર્કાન્ત દેવચંદ્રસૂરિજીની સ્તુતિ કરેલી છે. આ ચરિત્રના પ્રથમ સર્ગમાં શ્લોક ૧૩૬થી ૩૩૫માં પ્રસ્તુત કથાનક વર્ણવાયું છે. જે પુંડરિકીણી નગરીમાં વિહરમાન અમિતયશ નામના તીર્થકરે આપેલી દેશના સ્વરૂપે છે. સરળભાષા હોવાની સાથે પ્રાસાદગુણપ્રધાન આ કાવ્યમાં યમકઅનુપ્રાસ-ઉપમા-ઉઝેક્ષા-રૂપક વગેરે અલંકારો આલ્હાદક રીતે ગૂંથાયેલા છે. કથામાં વર્ણનો ટૂંકા છતાં રસિક છે. ૧૩. જૈનધર્મપ્રચારકસભા-ભાવનગર તરફથી વિ.સં. ૧૯૭૩માં પ્રથમવાર સંપાદિત થયા બાદ બિબ્લિયોથેકાઇન્ડિકા દ્વારા પણ સંપાદિત થયું છે. આનો અનુવાદ જૈન આત્માનંદસભા – ભાવનગરથી સં. ૨૦૦૩માં પ્રકાશિત થયો છે. ૧૪. પૂ. અજિતપ્રભસૂરિજીએ “ભાવનાસાર' નામક કૃતિ પણ રચેલી છે. ૧૫. આ કૃતિનો પરિચય ડૉ. શ્યામશંકર દીક્ષિતે પોતાના “તેરમી-ચૌદમી શતાબ્દી કે જૈન સંસ્કૃત મહાકાવ્ય' નામક શોધ પ્રબંધના અપ્રકાશિત અંશમાં વિસ્તારથી આપ્યો છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004056
Book TitleMangal Kalash Charitra Sangraha
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherVijay Kanaksuri Prachin Granthmala
Publication Year2013
Total Pages324
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy