SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ અહીં સંસ્કૃત ભાષાની અદ્યાવધિ અપ્રકાશિત-૩ કથાઓનું અને સાથે પ્રાકૃત-સંસ્કૃતભાષાની-૮ કથાઓનું પ્રકાશન થઈ રહ્યું છે. એક જ કથાનકને વિવિધ રીતે વિકસાવવાની પદ્ધતિ, વર્ણનીય વસ્તુઓ પરના વર્ણનો, કવિઓની પ્રતિભાઓ, કથાઓમાંથી મળતા સાંસ્કૃતિકમૂલ્યો વગેરેનો અભ્યાસ જિજ્ઞાસુઓ સરળતાથી કરી શકે એ અર્થે કથાવિશેષની સંપૂર્ણ સામગ્રી અહીં એકત્રિત કરવા કિંચિત્ પ્રયાસ કર્યો છે. હવે પછી “કૃતિ પરિચય વિભાગમાં પ્રકાશિત થઈ રહેલી કૃતિઓ તથા તેના કર્તાનો સંક્ષિપ્ત પરિચય જોઈએ. * કૃતિપરિચય (૧) પૂર્ણતલ્લપ ગચ્છીય ગુણસેનસૂરિજીના શિષ્ય દેવચંદ્રસૂરિજી (જેઓ કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજીના ગુરુ હતા) એ વિ.સં. ૧૧૬૦માં ૧૨, ૧૦૦ શ્લોક પ્રમાણ “સિરિ સંતિનાદેરિયની પ્રાકૃત ગદ્ય-પદ્ય (વચ્ચે ક્યાંક ક્યાંક અપભ્રંશનો પણ પ્રયોગ છે.) ભાષામાં રચના કરી છે. તેના ૧૧૦થી ૬ ૨૩ પદ્ય (અનુષ્ટ્રમ્)માં આ મંગલકલશકથા આલેખાયેલી છે. પ્રસ્તુત ચરિત્ર વિષયક પ્રાકૃતભાષા નિબદ્ધ આ એક માત્ર રચના છે. પ્રાસાદિક ભાષામાં રચિત આ કથામાં વસ્તુવર્ણન પણ સુંદર થયેલું છે. જેમાં શ્રેષ્ઠી ધનદત્તની પ્રાતઃકાલીન પરમાત્માની પૂજામાં આવરી લીધેલું ૧૦ ત્રિકનું વર્ણન, સંપૂર્ણ દિનચર્યા દ્વારા શ્રાવકના કર્તવ્યનું વર્ણન, પિતાના મુખમાં મૂકેલું ગૈલોક્યસુંદરીના સૌંદર્યનું વર્ણન, યુદ્ધનું વર્ણન વગેરે વર્ણનો સુંદર કરેલા છે. પરંપરાગત ઉપમાદિ અલંકારો સાથે વર્ણાનુપ્રાસ વગેરેથી પણ કાવ્યદેહને શોભાવ્યો છે. પદાંત-પદાદિ યમકનું એક ઉદાહરણ– પ. પૂર્ણતલ્લગચ્છને નામની સમાનતાને કારણે “પૂનમિયા ગચ્છ' પણ કહે છે. ૬. આ ગ્રંથનું સંપાદન ધર્મધુરંધરસૂરિજીએ ઈ.સ. ૧૯૯૬માં કરેલ પ્રકાશક બી.એલ. ઇન્સ્ટિટ્યૂટ. ૭. તેઓશ્રીએ મૂલશુદ્ધિપ્રકરણ - ટીકા પણ રચી છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004056
Book TitleMangal Kalash Charitra Sangraha
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherVijay Kanaksuri Prachin Granthmala
Publication Year2013
Total Pages324
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy