SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ મહાજનના જૂનાવંડામાં શાન્તિભવન ખાતે તેઓશ્રીએ સ્થિરતા કરી હતી. તીર્થાધિરાજની પૂનીત છત્રછાયામાં નવાણું યાત્રા કરવાની તેઓશ્રીની ભાવના હતી. તે કારણે તેઓશ્રી અહિં પધાર્યા હતા. શુભ મદત યાત્રાની શરૂઆત તેઓશ્રીએ કરી. હવારે તેઓશ્રી યાત્રાએ જતા, ચેતનાપૂર્વક વિધિસહિત યાત્રા કરી શાન્તિથી ઉતરતા, બાદ આહાર પાણી વગેરે આવશ્યક કાર્યોથી નિવૃત્ત થઈ. દરરોજ બપોરના સમયે “શત્રુંજયમહાભ્ય’ પર તેઓશ્રી પ્રવચનો આપતા. જેનો લાભ તીર્થક્ષેત્રમાં યાત્રાર્થે આવેલાં અનેક આત્માઓ ઉલટભેર લેતા. આ અવસરે, પૂ. સુવિહત શિરોમણી પરમગીતાર્થ આચાર્યદેવ શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ શ્રી સપરિવાર અમદાવાદથી વિહાર કરી, ઈડર તારંગાજી, શંખેશ્વરજી આદિ તીર્થસ્થાનોની યાત્રાઓ કરી, રાજકોટ મુકામે પ્રભુ-પ્રતિષ્ઠા અંજનશાલકાનો મહાન ભવ્ય મહોત્સવ તેઓશ્રીની નિશ્રામાં ઉજવવાનો હોવાથી; સુશ્રાવક છોટાલાલ ભાઈના ભાવપૂર્વકના અતિશય આગ્રહથી પૂ. આચાર્યદેવશ્રી માહ મહિનામાં ત્યાં રાજકોટ મુકામે પધાર્યા. ત્યાં તે મહોત્સવને ભવ્ય રીતે ઉજવી, તેઓશ્રી શ્રી સિદ્ધગિરિરાજજીની શાંત આલ્હાદક પતિતપાવની નિશ્રાયે પધાર્યા. પૂ. આચાર્ય મહારાજ વિજય ક્ષમાભદ્રસૂરિજી તે અવસરે ત્યાં બિરાજમાન હતા. આમ અચાનક પૂ૦ પરમગુરૂદેવ સ્થાનીય આચાર્ય મહારાજશ્રીનાં પવિત્ર દર્શન-વંદન ને સેવાનો મહાન લોભ તેઓશ્રીને મળ્યો. પૂ. આચાર્ય મહારાજ વિજ્યપ્રેમસૂરીશ્વરશ્રીની શારીરિક પ્રકૃતિ તે દરમ્યાન કાંઈક અસ્વસ્થ થઈ. તે વેળા તેઓશ્રીની સેવાનો અનુપમ લાભ પૂ. વિજયક્ષમાભદ્રસૂરિજી મહારાજ નિયમિત રીતે હદયના અહમાનપૂર્વક લેતા. પૂજ્યપાદ આચાર્યદેવશ્રીની સેવા ભક્તિ આરીતે વિનીતભાવે અપૂર્વ ઉદ્યાસથી તેઓએ તે દરમ્યાન કરી હતી. જાણે કે આ મહાનૂ લાભ જીવનનો લ્હાવો હોય ને તે પણ કેમ જાણે છેલ્લો જ ન હોય તે રીતે પૂ૦ પરમ ગુરૂદેવ આચાર્ય મહારાજશ્રીની વૈયાવચ્ચમાં તેઓશ્રી હંમેશા અપ્રમત્ત હતા. તે અવસરે, વઢવાણકેમ્પના સંઘના આગેવાનો પૂજ્ય પરમગુરૂદેવ આચાર્ય મહારાજ શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજશ્રીની સેવામાં, પોતાના ગામમાં ચાતુર્માસને સારૂ વિનતિ માટે આવ્યા હતા. પૂઆચાર્યદેવશ્રીએ આ. શ્રી, વિજયક્ષમાભદ્રસૂરિજીને વઢવાણ કેમ્પના ચાતુર્માસ માટે આજ્ઞા આપી. પૂ. પરમગુરૂદેવ આચાર્ય મહારાજશ્રીની આજ્ઞાને મસ્તક પર શિરસાવંઘ માની ફલમાળની જેમ વધાવી લેવાને ગમે ત્યારે ગમે તે સંયોગમાં તેઓશ્રી તત્પર રહેતા. પૂ. ગુરૂદેવ સ્થાનીય ઓચાર્યદેવશ્રીની આજ્ઞાને સ્વકારીને વૈશાખ દિવસોમાં પાલીતાણાથી વિહાર કરી, બોટાદ, ચૂડા, વગેરે સ્થળોમાં વિચરતા વિચારતા જેઠ વદિ ૧૧ ના શુભમુહૂર્ત વઢવાણ કેમ્પમાં ભવ્ય મહોત્સવ પૂર્વક તેઓશ્રીએ પ્રવેશ કર્યો. વિ. સં. ૨૦૦૦ ની જેઠ વદિ અમાસ, ભૂતકાળની અનન્તતામાં સમાઈ ગઈ હતી. અને અસાઢ સુદિ એકમના પ્રભાતે ક્ષિતિજના વિશાલ પટપર સહસ્રરહિમના કિરણો કયારનાં પ્રગટી ઊઠ્યાં હતાં. જયારે ઉષાએ દરરોજની જેમ પોતાનો પ્રકાશ પાથર્યો હતો, પણ આજનો એ પ્રકાશ અવશ્ય ભારે હતો. વઢવાણુકેમ્પની જૈન પ્રજાને એની મુદ્દલ માહિતી ન હતી-કે-આજની અષાઢ સુદિ એકમ આમ એકાએક રૌદ્રતાને ધારણ કરી લેશે !” પ્રાત:કાલની આવશ્યક ક્રિયાઓથી નિવૃત્ત થઈ પૂ. આચાર્યદેવ શ્રી વિજ્યક્ષમાભદ્રસૂરિજી, મુનિશ્રી લાભ વિજયજીને સાથે લઈને અંડિલભૂમિ તરફ જવાને નીકળ્યા. કદાવર ખડતળ અને સુદઢ પંજાબભૂમિનું શરીર ઘડતરફ તેજોમય ભવ્ય લલાટ, આકર્ષક નિસર્ગપ્રસન્ન મુખમુદ્રાઃ આ બધું આચાર્ય મહારાજશ્રીની પુણ્યપ્રકતિની લોકોત્તરતાને સહેજે જણાવી દેતું. ઉભયકાલ–સહવાર-સાંજ શહેર કે ગામની બહાર સ્પંડિલભૂમિ જવું એ એઓશ્રીની પ્રકૃતિની સાથે વણાઈ ગયેલી સંયમિતા હતી. તેઓશ્રી ધંડિલભૂમિથી પાછા ફર્યા, અર્ધ માર્ગ કાપ્યો, અચાનક શરીરમાં બેચેની જેવું તેઓશ્રીને જણાયું. છાતીમાં દુઃખાવો થવા લાગ્યો. કોઈ દિવસે નહિ અનુભવેલી વેદના આજે થતી હોવાનું તેઓશ્રીને પોતાને લાગ્યું. સહવત મુનિશ્રી લાભવિજ્યજીએ આ હકિકત માપી લીધી. વિનીતને છાજતી જબાનમાં ઉકા મનિએ પૂજ્ય મહારાજજીને કહ્યું-“મહારાજજી! આપનાં શરીરમાં કંઈ વેદના થતી હોય તેમ જણાય છે ! એવું હોય તો આપણે અહીં પાસેની જગ્યાએ કાંઈક આરામ લઈએ ! Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004041
Book TitleHaim Prakash Maha Vyakaranam Uttararddham
Original Sutra AuthorN/A
AuthorKshamavijay
PublisherHiralal Somchand Kot Mumbai
Publication Year1952
Total Pages636
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy