SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ શેર બજારમાં એ વખતે શેર બજારમાં દલાલોને ત્યાં સારી દલાલી થતી હોવાથી તેઓએ શેર બજાર તરફ નજર દોડાવી. શેર બજારમાં શેઠ પ્રેમચંદ ગીરધર એક સારા દલાલ હતા. તેમને ત્યાં તેઓ નોકરી રહ્યા જે દરમીયાન તેઓના શેઠનું ચાંદી બજારનું કામ પણ કરવું પડતું અને પોતે ઝવેરાતની દલાલી પણ કરતા હતા. આ પ્રમાણે શેર બજારમાં અનુભવ મેળવ્યો. એ અનુભવના પરિણામે શેઠ સોમચંદે, સંવત્ ૧૯૬૨ માં શેર બજારનું કાર્ડ મેળવ્યું અને સ્વતંત્ર દલાલીનું કામ શરૂ કર્યું. એ દલાલીનું કામ તેઓએ પોતાની અંતની ઘડી સુધી ચાલુ રાખ્યું હતું. શેર બજારની દલાલી મોટી હતી, પણ તે સાથે જોખમ પણ મોટું રહેતું હતું. શેઠ સોમચંદે પ્રમાણીકપણે શેરોની દલાલી કરતાં સુરત, અમદાવાદ, કરાંચી, વીસનગર, વડનગર, ઉદેપુર, મુંબઈ વિગેરે શહેરોના ગ્રાહકો મેળવ્યાં અને દલાલી પણ દરરોજ સારી થવા લાગી. પરિણામે તેઓ ગરીબીમાંથી સારી સ્થિતિમાં આવ્યાં. પણ ઘણી વખત શેરની દલાલી ભારે થઈ પડતી. એ સ્થિતિમાં મૂકેલી આવતાં તેઓએ કેટલીક વખત દાગીના વેચીને પણ પોતાની પ્રમાણીકતા અખંડ જાળવી હતી. ગૃહસ્થાશ્રમ, શેઠ સોમચંદના બે વખત લગ્ન થયાં હતાં. પ્રથમ લગ્નથી તેમને એક પુત્ર શ્રી કેશવલાલ થયાં હતાં, જેમના લગ્ન વખતે સંવત ૧૯૭૬ માં શ્રી સોમચંદભાઈના વડીલ પુત્ર શ્રી કેશવલાલના લગ્ન શ્રી માંગરોલમાં થયાં હતાં તે વખતે તેઓશ્રીએ આખી જ્ઞાતિમાં ઘર દીઠ પાંચ રૂપિયાનું લહાણું અને એક પીતળની થાળી અને સવાશેર સાકર મોકલ્યાં હતાં. એવી પહેલ કરનાર તેઓ શ્રી એલાજ હતા. એ લહાણામાં જમણવાર કરતાં ત્રણ ચાર ગણો વધુ ખર્ચ થયો હતો. તેઓ શ્રી અમદાવાદના શેર બજારના પણ જીંદગી પર્યંત એક દલાલ હતાં. ભાઈ કેશવલાલ પચીસ વર્ષની ભર જુવાન વયે સ્વર્ગવાસ પામ્યા હતા અને તેમના એક પુત્ર શ્રી ચીમનલાલ હૈયાત છે. શેઠ સોમચંદના બીજા લગ્ન માંગરોળ નિવાસી શા. જીવણચંદ માણેકચંદના પુત્રી બાઈ કસ્તૂરાવંતી સાથે થયા હતા. જેઓમાંના શ્રી હીરાલાલ સોમચંદ હૈયાત છે. મુનિરાજ શ્રીઅમિવિજ્યજીની મુલાકાત. લક્ષ્મી વધવા છતાં શેઠ સોમચંદ એ બિના સારી રીતે સમજી ગયા હતા કે લક્ષ્મીનો ઉત્તમ ઉપયોગ દાન કરવામાં છે અને જે લક્ષ્મીપરથી મોહ ઉતારે છે તે જ તેનો ખરો ઉપયોગ કરી શકે છે. સંવત્ ૧૯૭૬ માં તેમને આ બાબતની બરોબર પ્રતિતિ થઈ. તેઓ સખત બીમાર પડ્યા અને મોટા મોટા ડાકટરો તેમની બિમારીને દૂર કરી શક્યા નહિ. એ વખતે તેમને સંકલ્પ કર્યો કે જે આ બિમારીમાંથી ઉઠાય તો શ્રી શત્રુંજય તીર્થે જઈને દસ હજાર રૂપિયા શુભ માર્ગ વાપરવા. શુભ કર્મના ઉદયથી એક મદ્રાસી દેશી વૈદના ઔષધથી તેમની બિમારી દૂર થઈ અને સંવત્ ૧૯૭૭ માં તેઓ શ્રી તીર્થ શીરોમણી શ્રી શત્રુંજયની જાત્રા કરવા ગયા. ત્યાં તેઓએ ચોમાસું કર્યું અને ત્યાં ચાતુર્માસ કરી રહેલા પુજ્ય શાંતમૂર્તિ શ્રી અમિવિજયજી મહારાજના વ્યાખ્યાનનો લાભ લેવા લાગ્યા. તેઓએ જોયું કે એ મુનિરાજ નિસ્પૃહી, દયાળુ અને શાંત સ્વભાવના હતા અને તેમના હૃદયમાં દયાનો અખુટ ઝરો વહેતો હતો. તેમની મધુરી વાણીના શ્રવણથી તેઓએ એજ વર્ષમાં સમકિત મૂલ બારવૃત ઉચર્યા અને તે જીંદગી પર્યત મક્કમપણે પાળ્યા. શ્રીમદ અમિવિજયજી મહારાજના ઉપદેશથી તેમનાં જીવનમાં અદ્દભૂત પલટો થયો. આ સંસાર તેમને નિરસ લાગ્યો, સંસારનો મોહ તેમને ખોટો જણાયો. પાલીતાણામાં તેથી તેઓએ સાધમ ભાઈઓની અને સાધુ સાધ્વીઓની ભક્તિ અને સેવા કરવા માંડી અને કોઈ પણ દુખી ભાઈને દેખી તેને બનતી મદદ આપવા તત્પર રહેતા. એ સેવાભાવના પરિણામે તેઓએ, અન્ન, વસ્ત્ર, દવા વિગેરેમાં પાલીતાણામાં આશરે દસ હજાર રૂપિયા સંવત્ ૧૯૭૭ના ચાતુર્માસમાં ખર્ચા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004040
Book TitleHaim Prakash Maha Vyakaranam Purvarddham
Original Sutra AuthorN/A
AuthorKshamavijay
PublisherHiralal Somchand Kot Mumbai
Publication Year1937
Total Pages560
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy