SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ . દ્વારા તત્ત્વજ્ઞાનામૃતને પીરસવાની આગવીકળા, દાનધર્મ પ્રત્યે અંતરમાં અહોભાવનો દરિયો ઉછળે તેવી વાતોની એવી તો છણાવટ કરી છે કે વાંચતાં જ હૈયું ગદ્ગદ્ થઇ જાય છે મસ્તક સહજભાવે તેઓશ્રીનાં ચરણોમાં ઢળી પડે છે. ગ્રંથમાં દૃષ્ટિગોચર થયેલી વિશેષતાઓ... સામાન્યતઃ અન્યગ્રંથોમાં દાનધર્મનાં સુપાત્ર-ઉચિત-અનુકંપા-અભય-કીર્તિદાન એવા પાંચભેદ કહ્યા છે. જ્યારે પ્રસ્તુત ગ્રંથકારશ્રીએ પાંચમું જ્ઞાનદાન લીધું છે. ત્રિષષ્ટિ વિ. ગ્રંથમાં ચંદનબાળાચરિત્રમાં ચંદનબાળાએ પ્રભુને અભિગ્રહપૂર્ણતા સમયે અઠ્ઠમ તપ કર્યાનો ઉલ્લેખ થયો છે. જ્યારે અહિં ચંદનબાળાએ છઠ્ઠ તપ કર્યાની વાત આવે છે. તથા અન્યત્ર પ્રભુ એકવાર પાછાવળીને પુનઃ પધાર્યા પછી અભિગ્રહ પૂર્ણતા થઇ છે એવું જણાવ્યું છે જ્યારે આ ગ્રંથમાં પ્રભુ પાછા ફર્યાની વાત આવતી નથી... શાંતિનાથ ચરિત્રાદિમાં ચૈત્યવંદનાદિમાં મેઘરથરાજાએ પારેવાને અભયદાન આપ્યાનું કથન છે. (‘અભયદાન દેઇ કરી બાંધ્યું તીર્થંકરનામ'') જ્યારે અહીં મેઘરથરાજાનાં દૃષ્ટાંતની ઘટના અનુકંપાદાનનાં વિષયમાં કરી છે.. ઇત્યાદિ... તથા સિદ્ધહૈમવ્યાકરણનાં મતે અસિદ્ધ પ્રયોગો પણ ઘણા નજરે ચડે છે જોકે એ કદાચ અન્યવ્યાકરણની અપેક્ષાએ સિદ્ધ થઇ પણ શકતાં હોય તો ખ્યાલ નથી છતાં ત્યાં ત્યાં નોંધ કરેલી છે... ઉર ઉછળે ઉપકાર સ્મૃતિ ! ઉપકારી ચરણે અગણિતતિ !! જેઓશ્રીની દિવ્યાશી રૂપી દીવાદાંડી સતત અજ્ઞાન અંધકારમાંથી ઉગારી રહી છે એવા અવિરત કૃપાધારા વર્ષાવતાં યુગમહર્ષિ...... દાદાગુરુદેવશ્રી ભદ્રસૂરીશ્વરજી મહારાજા.... અમ જીવનમાં ગોખડે સંયમનાં દીપજલાવી સ્વાધ્યાયનાં પ્રાણ પૂરનારા, સંવૈક્ય સૂત્રધાર... પરમારાધ્યપાદ ગુરુદેવશ્રીૐકારસૂરીશ્વરજી મહારાજા... ગમે ત્યારે ગમે તેવા ઉડઝૂંડ પ્રશ્નો કર્યા હશે તેનાં પુરાં પ્રેમથી પોતાનું બધું જ કાર્ય અટકાવીને અમને જવાબ આપીને સંશોધન માર્ગે અમારા સાચા રાહબર બનનારા પૂ. શ્રી જંબૂવિજયજી મહારાજા.... પલ પલ પ્રેરણા પીયૂષનું પાન કરાવનાર, અપ્રમત્તતાનાં અવતાર, પરમનિઃસ્પૃહી પૂજ્ય ગુરુદેવશ્રી અરવિંદસૂરીશ્વરજી મહારાજા... વાત્સલ્યદાનમાં માતૃહૃદયી, સાક્ષિભાવ-દ્રષ્ટાભાવનાં ઉદ્ગાતા અધ્યાત્મયોગી પૂ. ગુરુદેવશ્રી યશોવિજયસૂરીશ્વરજી મહારાજા... Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004036
Book TitleDanopdeshmala
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year2002
Total Pages438
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy