________________
આમુખ
ગ્રંથ પરિચય અનંત ઉપકારી જિનેશ્વર ભગવતે “તીર્થ”ની સ્થાપના કરતાં ગણધર પદ પ્રદાન કરે છે અને તે જ સમયે “દ્વાદશાંગી”ની રચના પણ થઈ જાય છે. અર્થાત્ શાસનના પ્રવતન સમયથી વ્યવસ્થિત શાસ્ત્રો રચાયેલા જ હોય છે. પાત્રની
ગ્યાયેગ્યતા ઉપસ્થિત માનવગણની રૂચિ અને ગ્રાહાશક્તિને સામે રાખીને મહાન પૂર્વાચાર્યો તેને અનુરૂપ નવ્યશાસ્ત્રનું આગમાધારિત નિર્માણ કર્યું. “તત્વાર્થ સૂત્ર” આવા જ પ્રયત્નનું એક સુંદર તેમ જ સમતલ મહાનું શાસ્ત્ર છે. આ શાસ્ત્ર જ્યારથી રચાયું ત્યારથી આજ સુધી અનેક માટે નવપ્રેરણાને ઐત બનતું આવ્યું છે તેમ જ કેટલાય કાળ સુધી નવ પ્રયત્નને જાગૃત કરવાની અસીમ શક્તિ તેમાં નિહિત છે.
પ્રસ્તુત સૂત્રના અધ્યયનના સંસ્કારથી સ્વ. પૂ. ગુરુવર્યએ પણ જરા વિસ્તારરુચિ અને ઉપલક્ષીને “તવ ન્યાય વિભાકર” નામનો ગ્રંથ નિર્માણ કર્યો છે.
ગ્રંથનું નામ જ વિષયને સારે ફોટ કરી આપે તેમ છે. આ ગ્રંથમાં “તરવ” અને “ન્યાય” આ બે વિષય પર પ્રકાશ ફેલાવવામાં આવ્યો છે, જેથી ગ્રંથને “વિભાકર” સૂર્યની ઉપમા અપાયેલ છે. જો કે “ન્યાય” એ જ્ઞાનનું નિરૂપણ છે અને જ્ઞાન નિરુપણુ જીવ તત્ત્વાંતર્ગત છે. માટે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org