SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ શાન્તિનાથચરિત્ર-ચિત્રપટ્ટિકા સાધુ હતા, પરંતુ કેઈક કારણસર તેણે દીક્ષા તજી દીધી હતી. છતાં, તેની ધર્મ પ્રત્યેની આસ્થામાં લેશ પણ ઓટ આવી ન હતી. તેને તો આવું ઉમદા સાધુજીવન ખોયાનો રંજ પણ રહેતો અને તે ભવિષ્યકથન કરીને જીવન ગુજારતો, શ્રીવિજયે તેને આદર આપે અને આવવાનું કારણ પૂછયું, તેણે કહ્યું, : “ આજથી–સાતમે દિવસે આ પોતનપુરના રાજા ઉપર વીજળી પડશે અને તેનું મૃત્યુ થશે, એવું મારું નિમિત્તશાસ્ત્ર દર્શાવે છે. એટલે તમને ચેતવવા આવ્યો છું. આ સાંભળતાં જ વ્યાકુળ બની ગયેલા મંત્રીઓ રાજાને આ ઉત્પાતથી બચાવવાના ઉપાયોની ચિંતામાં પડ્યા, એક કહે: “રાજાને દરિયામાં નૌકાવિહાર કરવા મોકલી દો; દરિયામાં વીજળી ન પડે, તો બીજો કહે : ન પડે એ ખરું, પણ નહીં જ પડે એની ખાતરી શી? પડે તો? પડયા પછી શું? એ કરતાં તો રાજાને વૈતાઢય પર્વત પર મોકલી આપીએ, ત્યાં અવસર્પિણી કાળમાં વિજળી નથી પડતી. એવું શાસ્ત્રવચન છે, એટલે ત્રીજા મંત્રીએ કહ્યું : “ભાઈ, આ તો અવશ્યભાવી ભાવ છે. એ તો ગમે ત્યાં જઈએ તો પણ બનવાને જ. એ કરતાં તો જે કારણે આ ઉત્પાત થવાનો છે, તે કારણરૂપ પાપકર્મનો નાશ કરનારી તપશ્ચર્યા કરવા માંડે. તપનું પહેલું નમશે ને પાપ ઘટશે તો રાજા બચી જશે. આમ ત્રણે વચ્ચે ઘણી રકઝક થયા બાદ, છેલે ચોથા મંત્રી બોલ્યો : “મિત્રો ! નૈમિત્તિકે શું કહ્યું છે, તે તો જરા વિચારો ! નૈમિત્તિકે કહ્યું છે કે, “પતનપુરના રાજા ઉપર આજથી સાતમે દિવસે વીજળી પડશે. એણે એમ તો નથી કહ્યું ને કે “શ્રીવિજય ઉપર વીજળી પડશે? માટે આપણે એમ કરીએ કે, આ સાત દિવસ માટે રાજસિંહાસન ઉપર બીજી કઈ પણ વ્યક્તિને બેસારી દઈએ, એટલા સમય પૂરતો પિતનપુરેશ્વર એ ગણાશે. આમ કરવાથી રાજા બચી જશે. આ મંત્રીની વાત સાંnળીને સૌ રાજીરાજી થઈ ગયા. પરંતુ, રાજાએ આ દરખાસ્ત મંજુર ન કરી. એણે કહ્યું : મારા નિમિત્તે આ રીતે કેઈ નિરપરાધી માણસને મારી નાખવાનું મને કબૂલ નથી. એ કરતાં તે મને જ મરવા દો અથવા તે બીજો કોઈ ઉપાય શોધો. ? પેલા વિચક્ષણ મંત્રીએ તરત જ નવી યોજના કરી : “ કુબેરયક્ષની મૂર્તિને રાજા તરીકે સ્થાપવી અને આ સાત દિવસ સુધી સૌએ તેની જ રાજા તરીકે સેવા કરવી. આ વાત સૌને ગમી ગઈ, એટલે તરત જ તેનો અમલ કર્યો અને રાજા પણ તે સાત દિવસ પૌષધવ્રત ધારણ કરીને રહ્યો. સાતમે દિવસે નિમિત્તિકના કહેવા મુજબ, રાજા તરીકે સ્થપાયેલી યક્ષમૃતિ પર વીજળી પડતાં તે ભસ્મસાત થઈ ગઈ અને એ રીતે રાજા ઉપરનું જીવલેણ વિગ્ન ટળી ગયું. તે પછી તરત જ, રાજા શ્રીવિજય, પિલા નૈમિત્તિકને એક નગર બક્ષીસ આપ્યું અને કુબેરયક્ષની નવી રત્નપ્રતિમા કરાવી. નગર જને, રાજાનો પુનરવતાર થયો સમજીને મહાન ઉત્સવ ઉજવ્યો, જેમાં અકસ્માત આવી ચઢેલા અમિતતેજે પણ ભાગ લીધો, વાત એવી બની કે, શ્રીવિજય અને સુતારા એકવાર, ઉદ્યાનમાં કીડા કરવા ગયાં હતાં. ત્યાં ઘણી કીડાને અંતે તેઓ વિનોદવાર્તા કરતાં વૃક્ષ તળે બેઠાં હતાં, તે વખતે આકાશમાર્ગે જતા અશનિષ નામના એક વિદ્યાધરની નજર એમના પર પડી. આપણે આગળ જોઈ ગયા છીએ કે, આ સુતારા એ ભૂતપૂર્વ સત્યભામાનો જીવ છે. એ જ રીતે સત્યભામાને ત્યા પતિ કપિલ બ્રાહ્મણ, તેના વિના ઝુરીઝરીને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004028
Book TitleShantinath Charitra Chitra Pattika
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherL D Indology Ahmedabad
Publication Year1986
Total Pages132
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy