SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ શાન્તિનાચરિત્ર–ચિત્રપટ્ટિકા ૪૩ ભાઈઓની ધ પત્નીએ હશે એમ લાગે છે. કાષ્ઠપટ્ટિકા પર આ એનાં નામેા લખેલાં તા છે, પણ ઘસારો પહેાંચવાને કારણે તે નામેા જરા અસ્પષ્ટ વંચાય છે, એ નામેા કાંઇક આવાં છે:— ઉપર : પો. વેવજ (કે લેવા !), શો. વા, ગો. રામવેવ (?) નીચે : નયજ્ઞ”, નેટ્ટી, રામસિરી. ત્રણ ભાઈઓમાં પ્રથમ એને દાઢી-મૂછ છે અને ત્રીજાને નથી, તે જોતાં ત્રીજો ભાઈ હજી ઊગતી ઉંમરના જુવાન હશે, ને તેવે વખતે આ પટ્ટિકાએ આલેખાઈ હશે, એમ લાગે છે, આ બન્ને કાષ્ઠપટ્ટિકાઓમાં, પહેલી પટ્ટિકાના અગ્રભાગમાં અને બીજી પટ્ટિકાના પૃષ્ઠભાગમાં, પટ્ટિકાની કિનારીમાં, ચારે તરફે લાલ ચાંચ અને લાલ પગવાળાં, કાળી આંખવાળાં, સફેદ હુંસ પક્ષીઓની પ`ક્તિઓ મૂકીને ચિત્રકારે પટ્ટિકાની રોનકમાં પણ ભારે ઉમેશ કર્યાં છે. (૮) ચિત્રસંબદ્ધ કથાનુસન્માન રાજાને ત્યાં કપિલ નામે જૈનાની પાતાની, આગવી ગણતરીપૂર્વકની ભૂગાળ છે. એ અનુસાર, ભરત નામના ક્ષેત્રમાં રત્નપુર નામનું નગર છે. ત્યાં શ્રીષેણ નામે રાજા છે. તેને બે રાણીઓ છે, અભિન દ્ધિતા અને શિખિનદ્વિતા, તેમાં, અભિનંદિતાને ઈન્દુષેણ અને બિન્દુષણ નામે બે પુત્રો છે, એ વિદ્વાન બ્રાહ્મણ છે. મૂળ તા તે મધદેશના વતની છે. ત્યાંના અચલગ્રામ નામના ગામના ‘ધરણીજટ નામના બ્રાહ્મણ વિદ્વાનના તે પુત્ર છે. પરંતુ તે, ધરણીજયની રખાત જેવી દાસી કપિલાનું સંતાન હોઈ, તેને તેના પિતા વેદ આદિ વિદ્યા ભણાવતા નથી. આમ છતાં જ્યારે ધરણીજ તેના બીજા પુત્રોને વેદ ભણાવતા, ત્યારે આ મૂંગા મૂંગા અને છૂપા રહીને તે સાંભળતા, અને એ રીતે જ તેણે બધાં શાસ્ત્રો કઠસ્થ અને બુદ્ધિસ્થ કરી લીધાં હતાં. પણ બ્રાહ્મણ તરીકે તેની કશી ગણના ન હોઈ, તેને કોઈ જનાઈ ન આપતું અને તેથી તે વેદને ઉચ્ચારી પણ ન શકતા. આથી તેણે સ્વયમેવ જનાઈ પહેરી લીધી અને ઘાર ત્યજીને ચાલી નીકળ્યા. ફરતા ફરતા તે રત્નપુર નગરમાં આવ્યા અને, ત્યાંના વેદશાસ્રી સત્યકિ ઉપાધ્યાયને તેમ જ તેના વિદ્યાથીગણને પાતાનાં જ્ઞાનથી ચકિત કરી, અણુ સૌનાં હૃદય જીતી લીધાં. પછી સૌના આગ્રહથી એ ત્યાં જ રહ્યો. અને પાતે જે ક્રિયાકાંડ આદિ વિશે અનભિજ્ઞ હતા, તે બધી બાબતાનું જ્ઞાન તેણે સત્યકિ પાસેથી મેળવી લીધું. એ ઉપરાંત, સત્યકિએ તેા તેની સાથે પેાતાની પુત્રી સત્યભામાને પણ પર્ણાવી. એકવાર, ચામાસાની ઋતુમાં, રાત્રે કપિલ નાટક જોવા ગયા, તે ત્યાં એને ઘણું માડુ થઈ ગયું, માડી રાત્રે પાછા ફરતાં વરસાદ નડયેા. અને વરસાદમાં પેાતાનાં કપડાં ભીંજાઈ જવાની બીક લાગી. એણે જોયું કે રસ્તે કોઈ અવરજવર નથી, એટલે શરીર પરનાં તમામ કપડાં ઊતારી લઈ, પાતાની બગલમાં દબાવીને, એ ઘર નંજીક પહોંચ્યા અને ત્યાં એક ખૂણામાં ઊભા રહી, પુન: કપડાં પહેરી લઈ, એણે ઘર ખાલાવ્યુ, પતિનાં વસ્ત્રો પલળી ગયાં હશે એ દહેશતથી સત્યભામા પણ બીજાં કપડાં લઈને જ બારણે આવી, બારણું ઉઘાડીને કહ્યું, લેા, આ બીજાં કપડાં, બદલી લેા; નહિ તેા બીમાર થશેા. આ સાંભળીને કપિલના અહું ઉછળ્યા, એ કહે, “ મારી વિદ્યાના મળે કપડાં ભીંજાયાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004028
Book TitleShantinath Charitra Chitra Pattika
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherL D Indology Ahmedabad
Publication Year1986
Total Pages132
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy