SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ શાંતિનાથચરિત્ર-ચિત્રપટ્ટિકા હોળો પૂરી થતાં જ, શાતિનાથના વનકલ્યાણક અને અચિરાદેવીના સ્વપ્નદનની ઘટનાની સમાપ્તિનું સૂચન કરતો ઊભે દંડ ગોઠવવામાં આવે છે. (ચિત્ર-૨૩) હવે આવે છે જન્મકલ્યાણકનું દશ્ય. ૧૪ સ્વપ્નો જોયા પછી ગર્ભવતી બનેલી અચિરાદેવીએ પર માસે પુત્રને જન્મ આપ્યો. આ પુત્ર તે જ તીર્થકર અને ચક્રવતી શાન્તિનાથ,૨૦ ચિત્રમાં, આપણે અગાઉ (ચિત્ર નં-રર માં) જોઈ આવ્યા તેવા જ પલંગ ઉપર બિછાવાયેલા, લાલવણના, સુરોભિત અને જાડા ગાદલા ઉપર અચિરાદેવી સૂતા છે. જમણા હાથનો તકિયો કે ખોળે રચીને તેમાં નવજાત શિશુને સુવાડયું છે. કદાચ એટલે જ અહીં. એમના માથા તળે તકિયો નથી. તેમનું મસ્તક ગાદલાથી અદ્ધર છે, નવજાત બાળપુત્રની તરફ (જમણી તરફ ) ડાક ઊંચી કરીને પ્રસન્ન અને વિસ્ફારિત આંખે, એકીટશે તેઓ જોઈ રહ્યાં છે. તેમને જમણે પગ અર્થે વળેલ છે. ડાબો હાથ નવજાત બાળકના પગ તરફ વળેલો છે. પગના તળિયાને એ હાથની હથેળી સ્પશી રહી છે. જમણા હાથના તકિયામાં સૂતેલું બાળક સરી ન પડે તે માટે ડાબા હાથે આ રીતે ટેકો આપે હશે ! અગાઉ આવી ગયેલી પથારીમાં સૂર્યમુખી ફૂલ જેવાં ગોળ અને લાલ-પીળા રંગનાં સુશોભન દોરેલાં હતાં, તેવાં અહી નથી. અહીં તો માત્ર લાલ રંગ દ્વારા જ, ઝીણી આંખ કરીને જોઈએ તે જ દેખાય તેવી આછી ભાત પાડવામાં આવી છે. રાણીના દેહ પર, અગાઉ લાલ ઉપરિવસ્ત્ર અને લાલ લીલી ચેકડીઓવાળું અધોવસ્ત્ર હતું, તો અહીં લીલું ઉપરિવસ્ત્ર અને લાલ-લીલા રંગનાં ગોળાકાર સુશોભનવાળું અધોવસ્ત્ર છે. અગાઉ સ્વપ્ન જોતી રાણી નિદ્રાધીન હોઈ તેના માથે મુગટ નહતો, જ્યારે અહીં તેણે મુગટ પહેર્યો છે અને એ તેની જાગૃત અવસ્થાને સૂચક છે. રાણીની પીઠ પાછળ, અહીં પણ ગોળ અને પથારીના માપનો-લાંબો સફેદ તકિયો જોઈ શકાય છે, પણ એના ઉપરની ભાત અહીં જુદી છે. અહીં, વાંકાચૂંકા લાલ આંકાને બદલે, ચેકસ અંતરે, બે બે લાલ રેખાઓ અને બળે રેખાઓનાં બે જોડકાની મધ્યમાં લાલ ફૂલની ભાત પાડવામાં આવી છે. પલંગ નીચે બે પાત્ર પડયાં છે, અને જળપાત્ર હોય તેવું લાગે છે. એક છાલિયા કે તાંસળા જેવું છે ને તેને રંગ લાલ-પીળે મિશ્ર છે. બીજુ બેઠા-ઘાટના લોટા કે ઘડા (કે બોઘરણું) જેવું છે, તે મહદંશે પીળું છે. લાંબા સફેદ તકિયા ઉપર નાનકડી કુલિકા જેવું બનાવીને તેમાં એક બાળક બેસાયું છે. આ બાળક તે નવજાત શાન્તિનાથનું ઇન્ડે મૂકેલું પ્રતિબિંબ. આ ચિત્રો સાથે સંબદ્ધ ચરિત્ર કથામાં કહેવાયું છે તેમ, તીર્થકર થનાર પુત્રને જન્મ થતાં જ, છપ્પન દિશાકુમારીઓ દ્વારા પ્રાથમિક જન્મકૃત્ય સંપન્ન થયા બાદ, ઇન્દ્ર ( સૌધર્મેદ્ર ) સપરિવાર પ્રભુચહે આવીને, નવજાત તીર્થકરને, જન્માભિષેક માટે મેરુપર્વત પર લઈ જાય છે; અને તે વખતે ઇન્દ્ર પિતાની શક્તિના બળે તીર્થકરની માતાને નિદ્રાધીન કરી દે છે. આમ છતાં, ક્યારેક કોઈ કારણસર માતાની ઉઘ ઊડી જાય, અને ત્યારે તે પિતાનાં બાળકને પડખે ન જુએ તો, તેને જે આઘાત લાગે તેનું પરિણામ કયારેક મા ડું ન આવે એ વિચારે, ઇન્દ, આ રીતે નવજાત બાળકનું પ્રતિબિંબ બનાવીને માતા પાસે સ્થાપી દેતા હોય છે. જન્માભિષેક પત્યા પછી, બાળ તીર્થકરને પાછા માતાની પડખે સુવાડે, તે સાથે જ પેલું પ્રતિબિંબ ત્યાંથી ઉપાડી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004028
Book TitleShantinath Charitra Chitra Pattika
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherL D Indology Ahmedabad
Publication Year1986
Total Pages132
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy