SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ શાન્તિનાથાશ્ત્ર-ચિત્રપટ્ટિકા ૩૩ સ્વપ્નાના ચિત્રક્રમ આ રીતે છે:—ઉપરની હરોળ: ચન્દ્ર, સૂર્ય, હાથી, વૃષભ, સિંહ, લક્ષ્મી, કળશ, વિમાન, નીચલી હરોળ: ક્ષીરસમુદ્ર, પદ્મસરોવર, નિયૂમ અગ્નિ, ધ્વજ, રત્નરાશિ, અને પુષ્પમાળાનુ યુગ્મ ૧૮ ચન્દ્ર બીજના ચન્દ્ર જેવા છે. સૂર્યના ગાળા લાલ તેમ જ લગાળ હોઈ તે ઊગતા સૂર્ય હોય એવું પ્રતીત થાય છે. હાથી, વૃષભ અને સિંહ ત્રણે શ્વેત રંગનાં છે, છતાં ત્રણેનાં અંગ ઉપર લાલ ર્ગની આછી ઝાંય એવી કુશળતાથી છાંટી છે કે તેનાથી એ ત્રણે પ્રાણીઓની અંગશાભાને વિરોષ ઉઠાવ મળે છે. હાથી ને સિંહ ઊભાં છે, તે વૃષભ મહાદેવની સામે બેસતા નદી ( પાઢિયા ) ની જેમ, પગ વાળીને બેસી ગયા છે. સિહુને, સૂંઢ નથી. ઘણે ઠેકાણે સિંહુ સૂંઢવાળા પણ જોવા મળે છે. સિંહનું માં, એક વનેચર પ્રાણી કરતાં વધુ મનુષ્ય જેવું લાગે છે. ચિત્રકારની યથાર્થ-નિરૂપણ- કુશળતાની ખામી, આવાં અ’કનામાં તરી આવે છે, એટલું જ નહિ, પણ એ જરાક ખટકે પણ છે. લક્ષ્મીદેવી ચતુ`સ્તા છે. એના ઉપરના બે હાથમાં એ કમળ છે. બીજા બે હાથ વરદમુદ્રામાં છે. એની આકૃતિ પદ્માસનસ્થ છે. લાલ રંગના આસન પર તેઓ બેઠાં છે. કળશને ચક્ષુ નથી. જૈન લધુચિત્રામાં ચક્ષુ વગરના કળશ જવલ્લે જ જોવા મળે છે. કદાચ આ પટ્ટિકાના કાળમાં કળશને આખા કરવાની પ્રથા નહિ હોય અથવા તેા તે પ્રથા સાર્વત્રિક કે રૂઢ નહિ અની હોય, ૧૯ દેવિમાન નાનકડી દેરી જેવું લાગે છે. ક્ષીરસમુદ્ર અને પદ્મસરોવર-અને લીલા વનાં હોવા છતાં, બન્નેને જુદા પાડવા માટે અને બન્નેની ઓળખ આપવા માટે, એકને ગાળ અને એકને લખચારસ આકાર આપ્યા છે. ગાળ દેખાતા આકારની મધ્યમાં ત્રણ પાંખડીવાળું કમળ હાવા ઉપરાંત એક માછલી પણ છે. અને તેથી જ એ સમુદ્ર હોવાનું સમજાય છે, લખચાસ આકૃતિ તે પદ્મસરેાવર છે, તેની આળખ આપવા માટે ચિત્રકારે તેમાં એક મજાનું ઘેરું' લાલ કમળ ઊગાડયું છે. બન્નેમાં પાણીના તરંગા પ્રવાહિત થતા હેાય તેવા ભાસ થાય છે. ક્ષીરસમુદ્રનું પાણી દૂધ જેવુ' સફેદ હેાય અને પદ્મસરોવરનું પાણી નીતર્યુ· કાચ જેવુ' સ્વચ્છ હોય, એવું શાસ્ત્રોમાં વવાયું હોવા છતાં, બન્નેનાં પાણી લીલા રંગનાં કેમ નિરૂપ્યાં હશે ? તળાવ વગેરેનું પાણી સફેદ હાય તા પણ દૂરથી તેા તે લીલા રંગનું જ ભાસે છે, એ લેાકપ્રસિદ્ધ અનુભવને મનમાં રાખીને પાણીને લીલું ચીતર્યુ હોય તેા ના નહિ. અગ્નિની છ જવાળાઓ કેવી પીગળી છે ! ભભૂકી રહેલી એ જવાળાઓ ધૂમ્રસેર વિનાની છે, એ જોઈ શકાય છે. એની નીચેનાં બે પૈડાં જેવા આકારા, જાણે અગ્નિની ગાડી હોવાના ભ્રમ જગાડે છે. દંડ વિના ધ્વજ હેાય નહિ, એટલે સીધા દંડ ઉપર, જમણી તરફ વળ લઈને ફરકી રહેલા, દંડ કરતાં વિશેષ લાંબો-પહેાળા, સુંદર કિનારીવાળા ધ્વજ, આંખને આકર્ષે છે. એ પછી દેખાય છે રત્નરાશિ, નીચે ટીપાય જેવા ત્રણ પગ ( પાયા )ના ટેકે ગાઠવેલા થાળમાં મૂકાયેલાં રત્ના વિવિધ વનાં છે, એ જોઈ શકાય છે. અને સૌથી છેલ્લે મેરુપર્યંત જેવા ઘાટવાળી એ ફૂલમાળાઓ છે, તેમાં દેખાતી વિવિધ વર્ણીનાં ફૂલાની ગૂથણી અને તેની રીત, તે કાળમાં ફૂલમાળા કે ફૂલહાર કેવી રીતે બનતાં હશે તેની અલક આપી જાય છે. અને ફૂલમાળાના મથાળે શિખારૂપે એક એક કમળપુષ્પ ગાઠવાયુ છે. વસ્તુત: આ બન્ને આકારો, માળા કરતાં વધારે તે પદ્ધતિસર ગાઠવેલા ફૂલના ઢગલા જેવા લાગે છે. સ્વપ્નાની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004028
Book TitleShantinath Charitra Chitra Pattika
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherL D Indology Ahmedabad
Publication Year1986
Total Pages132
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy