SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ શાન્તિનાથચરિત્ર-ચિત્રપદ્રિકા અહી સારાયેલી બેલી તમામ આકૃતિઓમાં, બે પગની વચમાં થઈને નીકળતો અને આસન તરફ ઢળતો વિશ્વનો છેડ, વેષ પરિધાનને કલાત્મક તો બનાવે જ છે, તદુપરાંત, એ છેડે ને એ છેડાની ગોઠવણી, વેતાંબર પરંપરાની જિનપ્રતિમાઓમાં, પદ્માસનસ્થ પ્રતિમાના બે પગની વચમાં થઈને કાઢવામાં આવતી વસ્ત્રાંચલિકા રાખવાની કેટલાક સૈકાઓથી પ્રારંભાયેલી પ્રથાનું પણ, અનાયાસે જ, સ્મરણ કરાવે છે. એક બીજી વિશિષ્ટતા પણ અહીં નોંધવી જોઈએ. સામાન્ય રીતે, આ કાષ્ઠપટ્ટિકાઓમાં બિન્દુના આકારનું તિલક જ સર્વત્ર જોવા મળતું હોવા છતાં, અહીં, અમિતતેજના, અને નજર દગો ન દેતી હોય તો, જયોતિ:પ્રભાની પાછળ દેખાડાયેલા (બેઠેલા) મંત્રીના લલાટ ઉપરનું તિલક U આકારનું છે, તિલક એ શરીરને ઉત્તમ કેટીને શણગાર છે. તિલક વિનાનું મુખ, બીજાં તમામ અલંકાર અને શણગારથી અલંકૃત હોય તો પણ, અડવું જ લાગે, એ તે સુપ્રસિદ્ધ બાબત છે. અહીં આ બે આકૃતિ માં U આકારનું તિલક કરવા પાછળ, આ ઉત્તમ ગણાતા શણગારને પણ વૈવિધ્યભરી રીતે રજુ કરવાની ચિત્રકારની ધગશ જ કારણ હોવાનું માનવું જોઈએ. તિલકની વાત નીકળી છે, તે અહીં જ થેડી વિગતે તેનો વિચાર કરી લેવાનું ઠીક થઈ પડશે. જૈન ચિત્રશાલીમાં બે પ્રકારના તિલક જોવા મળે છે. એક, ઈ (યુ) આકારનું તિલક અને બીજ, ૦ (બિદ) આકારનું તિલક બિંદુ આકારમાં પણ વિવિધતા તો ખરી જ, જૈન ચિત્રશૈલીના ઉપલબ્ધ નમૂનાઓ તપાસતાં એમ લાગે છે કે, આ શેલીના પ્રારંભિક એટલે કે વિક્રમના ૧૧-૧૨ મા શતકના ચિત્રોમાં U આકારનું તિલક વિશેષ જોવામાં આવે છે. પણ તે પણ મુખ્યત્વે ચિત્રગત પુરુષ-આકૃતિઓમાં જ; સ્ત્રી આકૃતિઓમાં અથવા તીર્થકરની આકૃતિઓમાં તો બિંદુ-આકારનું તિલક જ જોવા મળે છે. આને અર્થ એ નથી કે પુરુષ આકૃતિઓમાં પણ સર્વત્ર U આકારનું તિલક જ રહેતું અને ૧૧-૧ર મા શતક પછીના આ શૈલીના ચિત્રોમાં કયાંય U આકારનું તિલક ન જ થતું. કેટલાક નમૂનાઓમાં પુરુષાકૃતિઓમાં પણ, મહદંશે બિંદુ આકારનું તિલક પણ જોવા મળે છે (દા. ત. શલાકાપુરુષ-ચિત્રપટ્ટિકા, ૧૩ મો શતક) અને ૧૩ મા, ૧૪ મા અને ૧૫ મા શતકનાં ચિત્રોમાં પણ U આકારનું તિલક જેવા મળે છે. કેટલાક લોકે, પ્રાચીન પ્રતિઓના ચિત્રોમાં જોવા મળતા U આકારના તિલકને અશાસ્ત્રીય અને એટલે જ અમાન્ય ઠરાવતાં એવી દલીલ કરે છે કે, આ ચિત્રોના ચિત્રકાર જૈનેતર-શૈવ, વૈષ્ણવહતા, એટલે તેઓએ પોતાના સંપ્રદાયનું તિલક જેન ચિત્રોમાં દાખલ કરી દીધું. આ દલીલમાં આધારહીન કહ૫નાથી વધુ કશું જ નથી એમ કહેવું જોઈએ. કેમ કે જૈનેતર ચિત્રકારને આવું તિલક આ ચિત્રોમાં દાખલ કરવા પાછળ કયો સ્વાર્થ સાધવાને હોય? શું આવું કરીને તેઓ આ ચિત્રાકૃતિઓ જેનધમી નહતી એવું સિદ્ધ કરવા માંગતા હતા? આવી વિચારણા કરવામાંય એ ચિત્રકારોને અન્યાય જ થાય. વળી, માત્ર તિલકના આકારમાં ફેરફાર કરવા માત્રથી જ આવો સાંપ્રદાયિક હેતુ બર આવી જાય એ માનવું પણ સમજ વિનાનું ને વધારે પડતું છે. જે એ ચિત્રકારોને સાંપ્રદાયિક સ્વાર્થ જ સાધવો હોત તો તેઓ આ ચિત્રોમાં બીજા ઘણા બધા ફેરફાર કરી નાખી શકત ને એ રીતે તેઓ પિતાની મુરાદ– હેત તો-–પાર પાડી શકત. પણ હકીકતમાં એવું કશું હતું જ નહિ, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004028
Book TitleShantinath Charitra Chitra Pattika
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherL D Indology Ahmedabad
Publication Year1986
Total Pages132
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy