SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ નમોનમઃ શ્રી ગુરુનેમિસૂર || લેખક તરફથી ભગવાન શ્રી શાન્તિનાથના જીવનચક્રનું ચિત્રણ ધરાવતી, આશરે ૭૦૦ વર્ષ જેટલી પ્રાચીન કાષ્ઠપટ્ટિકાઓનો સંશોધનાત્મક અભ્યાસ શ્રીગુરુકૃપાએ થઈ શકે છે, અને હવે તે પુસ્તકના રૂપમાં પ્રગટ થાય છે, તેને હૈયે આનંદ છે. આ અભ્યાસ માટે મને પ્રોત્સાહન અને માર્ગદર્શન અને સામગ્રીની સહાય આપનારાઓ પૈકી પં. શ્રી દલસુખભાઈ માલવણિયા, સ્વ. શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ ડો, ઉમાકાન્ત છે. શાહ, શ્રી લક્ષ્મણભાઈ ભોજક, ડો. કનુભાઈ શેઠ વગેરેનું; આ કૃતિનું અંગ્રેજી રૂપાંતર કરી આપનાર પ્રા. વી. એમ. દોશીનું; “કથા અને કલાની સૃષ્ટિમાં’ નામે પિતાનું કથયિતવ્ય લખી આપનાર શ્રી ગુલાબદાસ બ્રોકરનું અને આ પુસ્તકના પ્રકાશનને લગતી કેટલીક કામગીરી ભક્તિથી કરનાર શ્રી સુરેન્દ્ર મનુભાઈ કાપડિયા-આ સૌનું અહીં સ્મરણ કરું છું, આ પુસ્તક અંગેની નાની-મોટી ઘણી બધી જવાબદારી સંભાળી લઈ મને નચિંત બનાવ નાર મારા ગુરુભાઈ મુનિરાજ શ્રી નંદીઘોષવિજયજીનું પણ કૃતજ્ઞભાવે સ્મરણ કરું છું.. મારા પૂજનીય ગુરુભગવંત આચાર્યશ્રી વિજયસૂર્યોદયસૂરીશ્વરજી મહારાજે હું આ પ્રકારનું કામ કરું તેમાં ઊંડી સૂચિ સતત સેવી છે. આ પુસ્તક એ વસ્તુત: તેઓશ્રીની પ્રેરણા અને આશીર્વાદ ને જ આભારી છે. તેઓશ્રીના ચરણે વંદન કરીને ફરીફરી આવા અભ્યાસ કરવાનું મન અને બળ મળે તેવા આશીર્વાદ ચાચો વિરમું છું, નૂતન ઉપાશ્રય, ભાવનગર, -પં. શીલચન્દ્રવિજય ગણિ શ્રાવણ વદિ ૮, ૨૭-૮-૮૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004028
Book TitleShantinath Charitra Chitra Pattika
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherL D Indology Ahmedabad
Publication Year1986
Total Pages132
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy